વિશ્વરૂપમ રિલીઝ થઈ તો ડૅમ 999 કેમ નહીં ?
મુંબઈ, 7 ફેબ્રુઆરી : ડૅમ 999 ફિલ્મના દિગ્દર્શક સોહન રૉયે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમને તામિળનાડુ સરકારની સ્વીકૃતિ મળતાં ખુશી વ્યક્ત કરી છે, પરંતુ તેઓ કહે છે કે તેમની ફિલ્મ ડૅમ 999ને પણ રાજ્યમાં રિલીઝ કરવાની સ્વીકૃતિ મળવી જોઇએ. તેઓ પણ ન્યાયના હકદાર છે.

નોંધનીય છે કે તામિળનાડુ સરકારે રાજ્યમાં કેટલાંક મુસ્લિમ સંગઠનોના વિરોધના પગલે વિશ્વરૂપમ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે હવે ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. રૉયે જણાવ્યું - હું કમલ માટે ખુશ છું, પરંતુ મારી કેમ અવગણના કરાઈ? મારી ફિલ્મ ડૅમ 999 બે વરસથી રિલીઝ માટે અટકેલી છે અને તામિળનાડુ સરકાર સતત આ બાબતને અવગણી રહી છે.
સોહન રૉયે પોતાના કરોડોના નુકસાનને ટાંકતા જણાવ્યું - હું કમલ હસનની ઇજ્જત કરુ છું, પરંતુ શું આપને નથી લાગતું કે હું પણ એક માણસ છું અને ન્યાયનો હકદાર છું? નવેમ્બર 2011માં દ્રવિડ મુનેત્ર કષગમ (ડીએમકે)ની ફરિયાદ બાદ રૉયની ફિલ્મ ડૅમ 999 તામિળનાડુ સરકાર દ્વારા પ્રતિબંધિત કરાઈ હતી. ડીએમકે માને છે કે તામિળનાડુ તેમજ કેરળ વચ્ચે મુલ્લાપેરિયાર બંધ વિવાદ ઉપર ડૅમ 999 ફિલ્મ આધારિત છે. ફિલ્મ 84માં એકેડેમી ઍવૉર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં નૉમિનેટ થયા છતાં તામિળનાડુ સરકારે ફિલ્મ જોવા તેમજ પ્રતિબંધ હટાવવા અંગે વિચાર કર્યો નથી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
