શિલ્પા શેટ્ટીએ પોલિટિકલ બુકને બાળકોની બુક કહી, ટ્વીટર પર ઉડી મજાક
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કહ્યુ કે જ્યોર્જ ઓરવેલનું પુસ્તક ‘એનિમલ ફાર્મ’ બાળકોના કોર્સમાં શામેલ કરવુ જોઇએ. આનાથી બાળકોને ફાયદો મળશે...
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની એક ટીપ્પણી માટે ટ્વીટર ટ્રેંડમાં આવી ગઇ છે. તેણે જ્યોર્જ ઓરવેલના પુસ્તક 'એનિમલ ફાર્મ' ને બાળકોનું પુસ્તક ગણાવીને તેને બાળકોના કોર્સમાં શામેલ કરવાની સલાહ આપી છે. શિલ્પાની આ ટીપ્પણી બાદ ટ્વીટર પર તેની ખૂબ મજાક ઉડી.

ટ્વીટર પર શિલ્પાની મજાક
આઇસીએસઇ બોર્ડે હાલમાં જ એલાન કર્યુ કે તે જે કે રોલિંગની હેરી પોટર સીરિઝની પુસ્તક, ટીનટીન અને એસ્ટ્રીક્સને ધોરણ ત્રણથી આઠમાં સુધીના વિદ્યાર્થીઓ માટે કોર્સમાં શામેલ કરશે. તેમના આ પગલાંની વિદ્યાર્થીઓ, અભિભાવકો અને શિક્ષાવિદોએ ખૂબ પ્રશંસા કરી છે.

ટ્વીટર પર ટોપ ટ્રેંડિંગમાં આવી શિલ્પા
ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ આ પગલાંની પ્રશંસા કરી છે. જો કે આ દરમિયાન તેણે એક પુસ્તક વિશે ટીપ્પણી કરીને ભૂલ કરી દીધી. ત્યારબાદ તે સોશિયલ સાઇટ ટ્વીટરના ટોપ ટ્રેંડિંગમાં આવી ગઇ. યુઝર્સે તેની મજાક ઉડાવતા ઘણી ટીપ્પણીઓ કરી. બોલીવુડ અભિનેત્રીએ એક અંગ્રેજી દૈનિક સાથે વાતચીતમાં કહ્યુ કે લોર્ડ ઓફ ધ રિંગ્સ અને હેરી પોટર જેવા પુસ્તકો બાળકોની કલ્પનાશીલતા અને રચનાત્મકતા વધારવામાં યોગદાન આપી શકે છે.

શિલ્પાએ કરી હતી પુસ્તક વિશે ટીપ્પણી
આ દરમિયાન શેટ્ટીએ સલાહ આપતા કહ્યુ કે જ્યોર્જ ઓરવેલના પુસ્તક 'એનિમલ ફાર્મ' ને પણ બાળકોના કોર્સમાં શામેલ કરવુ જોઇએ. આનાથી બાળકોને ઘણો ફાયદો મળશે. આવુ એટલા માટે કારણકે આ પુસ્તક બાળકોને જાનવરોથી પ્રેમ કરવા અને તેમનું ધ્યાન રાખવાની શીખ આપે છે.

ઐતિહાસિક ઉપન્યાસ
જો કે શિલ્પા પોતાની ટીપ્પણી દરમિયાન એ ભૂલી ગઇ કે જે પુસ્તકની ચર્ચા તે કરી રહી છે તે જ્યોર્જ ઓરવેલનું 'એનિમલ ફાર્મ' એક ખૂબ જ ઐતિહાસિક ઉપન્યાસ છે. આમાં રાજકીય વ્યવસ્થા પર વ્યંગ કરવામાં આવ્યો છે. આમાં જાનવરોના માધ્યમથી રાજકીય વ્યવસ્થા દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. જાનવરોના બહાને ઘડેલી કહાની આજના દોરમાં ઘણી પ્રાસંગિક છે.












Click it and Unblock the Notifications
