Munawar Faruqui પર ઈંડાથી હુમલો કેમ કરાયો? ખુદ ખુલાસો કર્યો
બિગ બોસ ફેમ કોમેડિયન મુનાવર ફારૂકી કોઈને કોઈ કારણે વિવાદોમાં રહે છે. હાલમાં જ તેના પર એક રેસ્ટોરન્ટમાં હુમલો કરાયો હતો.
હાલમાં જ મુનવ્વર ફારૂકીનો એક એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક રેસ્ટોરન્ટના માલિક મુનવ્વર પર ઈંડા ફેંકી રહ્યો છે.

મુનવ્વર ફારૂકી સાથેની આ ઘટના બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ રેસ્ટોરન્ટના માલિક અને 5 સ્ટાફ મેમ્બરને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કોમેડિયને પોતે લાઈવ આવીને સાચી વાતનો ખુલાસો કર્યો છે.
મુનવ્વર ફારૂકીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને ઈદની શુભેચ્છા પાઠવી. આ પછી તેણે ઇંડા ફેંકવાની ઘટના પર પ્રતિક્રિયા આપી.
ફારૂકીએ જણાવ્યુ કે, બે દુકાનદારો હતા અને તેમની વચ્ચે લડાઈ ચાલી રહી હતી, તેથી તમારો ભાઈ ગુસ્સે થયો. આ સ્થિતિમાં કોઈ કાકાને ઈંડું લાગ્યુ, મને કોણ મારે? હું સંપૂર્ણપણે ઠીક છું, કોઈએ મારા પર ઈંડુ ફેંક્યુ નથી.
મુનવ્વરે વધુમાં કહ્યું કે, ત્યાં એક કાકા હતા જેને ઈંડુ લાગ્યુ અને એક અધિકારી હતા જેને પણ ઈંડુ લાગ્યુ. લોકો મારી ઈર્ષ્યા કરવા લાગ્યા છે. હું કોઈને મારા હરીફ નથી માનતો પરંતુ કેટલાક લોકો મારી ઈર્ષ્યા કરે છે. ઠીક છે, તમને બધાને ઈદની શુભકામનાઓ, હું સંપૂર્ણપણે ઠીક છું.
વાયરલ વીડિયોમાં એક રેસ્ટોરન્ટના માલિકે મુનાવર ફારૂકી પર ઈંડા વડે હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, કોમેડિયનને ઈદના અવસર પર રેસ્ટોરન્ટના માલિકે બોલાવ્યો હતો પરંતુ તે બીજી જગ્યાએ ગયો.
આ પછી ગુસ્સામાં માલિક અને તેના સ્ટાફે તેના પર ઈંડાથી હુમલો કર્યો. જે બાદ મુનવ્વર ફારૂકી તેના પર ગુસ્સે થઈ ગયો. હવે કોમેડિયનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
