સોનાક્ષી સિન્હાને ભગાડીને લઈ જવા માંગતો હતો ઝહીર ઈકબાલ, પરંતુ આ કારણે કર્યુ કેન્સલ
Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન 23 જૂનના રોજ થયા હતા. આ લગ્નમાં કપલના પરિવારના સભ્યો અને તેમના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. હવે, લગ્નના એક મહિના પછી, કપલે તેમના સંબંધો વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે.
ગલાટા ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ઝહીર ઈકબાલે જણાવ્યું કે તેણે સોનાક્ષી સિંહા સાથે ઈન્ટીમેટ વેડિંગ કેમ પસંદ કર્યા. જ્યારે અભિનેતાને તેના લગ્નની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે સોનાક્ષી સાથે ભાગીને લગ્ન કરવા માંગતો હતો.

ઈન્ટરવ્યુ દરમિયાન સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે તેનો હંમેશા પ્લાન હતો કે તે તેના પરિવાર સામે લગ્ન કરે. પછી ઝહીર કહે છે કે તે આવુ નહોતો ઈચ્છતો. તેણે કહ્યું, 'હું ભાગી જવા માંગતો હતો. દેશની બહાર ક્યાંક જાવ, લગ્ન કરો અને પાછા આવો, પરંતુ મને ખબર પડી કે ભારતમાં આવા લગ્ન માન્ય નથી.'
સોનાક્ષી સિન્હા હંમેશા ઇચ્છતી હતી કે તેના લગ્ન નાના રહે, જેના કારણે ઝહીર ઇકબાલે તેનો પ્લાન કેન્સલ કર્યો. અભિનેત્રીએ કહ્યું, 'ઝહીરને એ વાતથી કોઈ વાંધો નહોતો કે તેના સંબંધીઓ અને મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપશે. અમે અમારા જીવનનો મહત્વનો હિસ્સો એવા તમામ લોકોને લગ્નનો ભાગ બનાવવા માગતા હતા.
સોનાક્ષી સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે ઝહીર ઈકબાલને લગ્ન માટે પ્રપોઝ કરનાર તે પ્રથમ વ્યક્તિ હતી. અભિનેત્રીએ કહ્યું, 'જ્યારે અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે મેં ઝહીરને કહ્યું કે હું તને પસંદ કરું છું. તને ગમે કે ન ગમે હું ફક્ત તારી સાથે જ લગ્ન કરીશ.'' આ પછી બંનેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યો અને પછી ઝહીર લગ્ન માટે રાજી થઈ ગયો. તમને જણાવી દઈએ કે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.












Click it and Unblock the Notifications
