મોદીની ટીવી ચેનલને 'નમો ગુજરાત' કરાઇ બ્લેક આઉટ
કહેવામાં આવે છે કે ચૂંટણી આયોગે બ્રોડકાસ્ટ્ર્સની એક મીટીંગ બોલાવી હતી અને તેને પેડ ન્યૂઝની ગાઇડલાઇન્સ પર સખતપણે અમલ કરવાનું કહ્યું હતું. ચૂંટણી આયોગે સ્પષ્ટ કહી દિધું છે કે જ્યાર સુધી આ ચેનલને ક્લીયરન્સ મળશે નહી ત્યાં સુધી તેનું પ્રસારણ કરવામાં આવશે નહી.
આ ચેનલ 2 ઑક્ટોબરના રોજ ગાંધી જયંતીના અવસરે લોન્ચ થઇ હતી અને તેના પર મોદીના ભાષણો ચલાવવામાં આવ્યાં હતાં. મોદીના વિરોધીઓએ તેના વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો ત્યારે આ ચેનલનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું. કોંગ્રેસે માંગણી કરી છે કે આ ચેનલને મળેલા ફંડની તપાસ કરવામાં આવશે.
જોકે આવું પ્રથમ બન્યું એવું નથી કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર અભિયાન માટે મીડિયાને માધ્યમ બનાવ્યું હોય. ગત વર્ષે ચૂંટણી દરમિયાન તેમને વંદે ગુજરાતના નામે એક ઇન્ટરનેટ ટીવી પ્રૉટોકોલ લોન્ચ કરી હતી પરંતુ કેટલીક ફરિયાદો બાદ ચૂંટણી આયોગે તેના પર પાબંધી લગાવી હતી.