ઇંતેજાર ખતમ : 2જી માર્ચથી શરૂ થશે સત્યમેવ જયતે 2

મુંબઈ, 27 જાન્યુઆરી : ધૂમ 3 ફિલ્મની સફળતા બાદ આમિર ખાન ફરીથી ટેલીવિઝન તરફનો રુખ કરી રહ્યાં છે. હા જી દોસ્તો. લોકોના ચહેતા આમિર ખાન ફરીથી પોતાના પૉપ્યુલર શો સત્યમેવ જયતેની બીજી આવૃત્તિ સાથે નાના પડદે પ્રકટ થવા જઈ રહ્યાં છે. સત્યમેવ જયતે 2નું પ્રીમિયર આગામી 2જી માર્ચે યોજાશે.

27-27-aamir-khan-612.jpg gujarati.oneindia.com -Properties
નોંધનીય છે કે આમિરે વર્ષ 2012માં સત્યમેવ જયતે સાથે ટેલીવિઝન ઉપર એન્ટ્રી કરી હતી. આ કાર્યક્રમ કન્યા ભ્રૂણ હત્યા, ઘરેલુ હિંસા તથા બાળ શોષણ જેવા સંવેદનશીલ સામાજિક મુદ્દાઓને ઉઠાવે છે. મેમાં સ્ટાર પ્લસ ચ્રનલે પ્રસારિત થયેલ આ કાર્યક્રમના દર્શકોએ બહુ વખાણ કર્યા હતાં. કેટલાક એપિસોડે તો સર્વોચ્ચ રેટિંગ પ્રાપ્ત કરી હતી.

આમિરના શોનો ઇંતેજાર લોકો એટલી હદે કરે છે કે આ વાતનો અંદાજો એ વાત ઉપરથી લગાવી શકાય કે શોની પ્રથમ ઝળકીઓ શનિવારે ઇંટરનેટ ઉપર જારી થતાં જ 34 હજાર કરતા વધુ લોકો તેને લાઇક કરી ચુક્યાં છે, પરંતુ આ વખતે કહે છે કે પાર્ટ 2, પાર્ટ 1 કરતા જુદો હશે. રિપોર્ટ્સ મુજબ કાર્યક્રમના નિર્માતાઓએ બીજી આવૃત્તિને ત્રણ ભાગોમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે. દરેક ભાગ રવિવારે ચાર શો પ્રસારિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X