For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંતેજાર ખતમ : 2જી માર્ચથી શરૂ થશે સત્યમેવ જયતે 2

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 જાન્યુઆરી : ધૂમ 3 ફિલ્મની સફળતા બાદ આમિર ખાન ફરીથી ટેલીવિઝન તરફનો રુખ કરી રહ્યાં છે. હા જી દોસ્તો. લોકોના ચહેતા આમિર ખાન ફરીથી પોતાના પૉપ્યુલર શો સત્યમેવ જયતેની બીજી આવૃત્તિ સાથે નાના પડદે પ્રકટ થવા જઈ રહ્યાં છે. સત્યમેવ જયતે 2નું પ્રીમિયર આગામી 2જી માર્ચે યોજાશે.

27-27-aamir-khan-612.jpg gujarati.oneindia.com -Properties
નોંધનીય છે કે આમિરે વર્ષ 2012માં સત્યમેવ જયતે સાથે ટેલીવિઝન ઉપર એન્ટ્રી કરી હતી. આ કાર્યક્રમ કન્યા ભ્રૂણ હત્યા, ઘરેલુ હિંસા તથા બાળ શોષણ જેવા સંવેદનશીલ સામાજિક મુદ્દાઓને ઉઠાવે છે. મેમાં સ્ટાર પ્લસ ચ્રનલે પ્રસારિત થયેલ આ કાર્યક્રમના દર્શકોએ બહુ વખાણ કર્યા હતાં. કેટલાક એપિસોડે તો સર્વોચ્ચ રેટિંગ પ્રાપ્ત કરી હતી.

આમિરના શોનો ઇંતેજાર લોકો એટલી હદે કરે છે કે આ વાતનો અંદાજો એ વાત ઉપરથી લગાવી શકાય કે શોની પ્રથમ ઝળકીઓ શનિવારે ઇંટરનેટ ઉપર જારી થતાં જ 34 હજાર કરતા વધુ લોકો તેને લાઇક કરી ચુક્યાં છે, પરંતુ આ વખતે કહે છે કે પાર્ટ 2, પાર્ટ 1 કરતા જુદો હશે. રિપોર્ટ્સ મુજબ કાર્યક્રમના નિર્માતાઓએ બીજી આવૃત્તિને ત્રણ ભાગોમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે. દરેક ભાગ રવિવારે ચાર શો પ્રસારિત કરશે.

English summary
The second season of Aamir Khan's much-awaited television show 'Sataymev Jayate' will premiere March 2.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X