પોતાની મોત પહેલા અભિનેત્રી દિવ્યા ભટનાગરે પત્ર લખી કર્યા ચોંકાવનારા ખુલાસા
7 ડિસેમ્બરે મૃત્યુ પામેલ અભિનેત્રી દિવ્યા ભટનાગરના ભાઈ દેવેશ ભટનાગરનુ કહેવુ છે કે તેની બહેને 7 નવેમ્બરે એક લેટર લખ્યો હતો જે હવે તેની અલમારીમાંથી મળ્યો છે.
મુંબઈઃ સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હે'માં કામ કરી ચૂકેલ ટેલીવિઝન અભિનેત્રી દિવ્યા ભટનાગર હવે આ દુનિયામાં નથી રહી. તેનુ 7 ડિસેમ્બરે કોરોના વાયરસથી નિધન થઈ ગયુ હતુ. તે થોડા દિવસ પહેલા વાયરસથી સંક્રમિત મળી આવી હતી. તે ઘણા દિવસોથી હોસ્પિટલમાં ભરતી હતી અને ઑક્સિજન લેવલ ઓછુ હોવાના કારણે તેનુ નિધન થઈ ગયુ. દિવ્યાના નિધન બાદ તેની દોસ્ત દેવોલીનાએ એક ભાવુક પોસ્ટ લખી હતી. સાથે જ એક વીડિયો શેર કરીને દેવોલીનાએ દિવ્યાના પતિ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

મોતના એક મહિના પહેલા લખ્યો હતો પત્ર
હવે દિવ્યાના ભાઈ દેવેશ ભટનાગરનુ કહેવુ છે કે તેની બહેને 7 નવેમ્બરે એક લેટર લખ્યો હતો જે હવે તેની અલમારીમાંથી મળ્યો છે. આ લેટરમાં દિવ્યાએ દામ્પત્ય જીવન સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી વાતો વિશે લખ્યુ છે. દિવ્યાએ લેટરમાં તેની મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો છે જે તે પોતાના લગ્નજીવનમાં સહન કરી રહી હતી. દેવેશનુ કહેવુ છે કે દિવ્યાએ લેટરમાં પોતાના પતિ ગગન દબરુ વિશે લખ્યુ છે કે તે તેને હેરાન કર્યા કરતો હતો.

દિવ્યાના ભાઈએ શું જણાવ્યુ?
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં દિવ્યાના ભાઈ દેવેશે કહ્યુ, 'ગગન લગ્ન થયા પછીથી જ દિવ્યાને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવા લાગ્યો હતો. દિવ્યાએ 7 નવેમ્બરે એક લેટર પણ લખ્યો હતો જેમાં તેણે જણાવ્યુ છે કે ગગન તેની સાથે મારપીટ અને ગાળાગાળી પણ કર્યા કરતો હતો. અમને કાલે જ તેની અલમારીમાંથી આ લેટર મળ્યો છે. તે પોલિસ પાસે પણ ગઈ હતી અને 16 નવેમ્બરે ગગન સામે એનસી ફાઈલ કરાવી હતી જેમાં તેણે ઘરેલુ હિંસનો આરોપ લગાવ્યો હતો. જ્યારે હું હોસ્પિટલમાં તેની સાથે વાત કરવા ગયો ત્યારે મે તેને કહ્યુ કે મજબૂત બની રહે.'

પરિવાર વિરુદ્ધ જઈને કર્યા હતા લગ્ન
વળી, સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં દેખાયેલી દેવોલીના ભટ્ટાચાજ્ીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી દિવ્યાના પતિ વિશે કહ્યુ કે તે દિવ્યા સાથે મારપીટ કર્યા કરતો હતો. તે માનસિક રીતે પણ તેને હેરાન કર્યા કરતો હતો. દેવોલીનાએ ત્યાં સુધી કહ્યુ કે જે પણ વાતો તેણે વીડિયોમાં કહી છે તેના માટે તે એક-એક કરીને પુરાવા પણ રજૂ કરશે. જેથી ગગનને જેલ મોકલી શકાય. તેણે એ પણ કહ્યુ કે દિવ્યા અને ગગનના લગ્નની વિરુદ્ધ દિવ્યાનો પરિવાર તો હતો જ સાથે તે પણ આ લગ્નની વિરુદ્ધ હતી.

અંતિમ સમયમાં છોડ્યો સાથ
તમને જણાવી દઈએ કે દિવ્યા ભટનાગરે ગયા વર્ષે પરિવારની મરજી વિરુદ્ધ પોતાના બૉયફ્રેન્ડ ગગન ગબરુ સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ એક બીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા પરંતુ અંતિમ સમયે ગગને જ દિવ્યાનો સાથ છોડી દીધો હતો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
