Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નાના પડદે સાકાર થશે વિષ્ણુનો નવમો અવતાર!

મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૌદ્ધ ધર્મના પ્રણેતા ભગવાન બુદ્ધને હિન્દૂ ધર્મમાં ભગવાન વિષ્ણુનો નવમો અવતાર કહેવામાં આવે છે અને તેમના દ્વારા ઈશ્વરના સાક્ષાત્કાર માટે કરવામાં આવેલ કઠોર તપસ્યા આજે પણ અનેક મુમુક્ષુઓ માટે પથ-દર્શક છે. ભગવાન વિષ્ણુના આ નવમા અવતાર આગામી રવિવારે નાના પડદે અવતરવા જઈ રહ્યાં છે.

buddha-serial-launch

હા જી, ભગવાન બુદ્ધ પર આધારિત શ્રેણી બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર શરૂ થવા જઈ રહી છે. મહત્વની બાબત એ છે કે આ સીરિયલ માટે ઝી ટીવીએ રામાયણનો સમય બદલ્યો છે. આ સીરિયલને મહાભારત અને આમિર ખાનના લોકપ્રિય શો સત્યમેવ જયતેનો ટાઇમ સ્લૉટ ફાળવવામાં આવ્યો છે.

બુદ્ધના નિર્માતા બી. કે. મોદી આ ટાઇમ સ્લૉટ ફાળવાતાં ખુશ છે. તેમણે જણાવ્યું - અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે બુદ્ધ સીરિયલ રામાયણ, મહાભારત અને સત્યમેવ જયતેના ટાઇમે પ્રસારિત થશે. બુદ્ધની ઐતિહાસિક યાત્રા લોકો પોતાના પરિવાર સાથે જોઈ શકશે.

ધર્મેશ દિગ્દર્શિત ટેલીવિઝન સીરિયલ બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X