નચ બાલિયે 9ને લઈ સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, એક્સ કપલ ધમાલ મચાવશે
નચ બાલિયે 9ને લઈ સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, એક્સ કપલ ધમાલ મચાવશે
નચ બાલિયે સીઝન 9ને લઈ આ વખતે ફેન્સ વચ્ચે ઉત્સાહ વધી રહ્યો છે. ગત બે વર્ષથી ફેન્સમાં ઉત્સાહ વધી ગયો છે. ગત બે વર્ષથી ફેન્સ આ શોના આવવાનો ઈંતેજાર કરી રહ્યા હતા. આવતાની સાથે જ આ શોનું નામ સલમાન ખાન સાથે જોડાઈ ગયું છે. જી હાં, અમે પહેલા પણ તમને જણાવી ચૂક્યા છીએ કે નચ બલિયે 9ના નિર્માલા આ વખતે સલમાન ખાન હશે. એવા અહેવાલ છે કે તેઓ શોના કેટલાક એપિસોડને જજ કરતા પણ જોવા મળી શકે છે. પરંતુ જો તમે એમ વિચારી રહ્યા હોવ કે આ વખતે ટીવીના રિયલ લાઈફ કપલ નચ બાલિયાના ધમાલ મચાવશે, તો એવું બિલકુલ નથી. બલકે આ શોમાં પહેલીવાર નવું ટ્વિસ્ટ લાવવામાં આવી રહ્યું છે.

સલમાન ખાને કર્યો મોટો ખુલાસો
સલમાને આ વિશે નચ બલિયે 9માં એક્સ લવર્સને સ્ટેજ પર ઉતારવાની યોજના બનાવી છે. એક અખબાર મુજબ આ વર્ષે નચ બલિયે એન્ટરટેઈનમેન્ટનો એવો ટ્વિસ્ટ લાવશે, જેને જોઈ ફેન્સ સરપ્રાઈઝ થઈ જશે. આ વખતે રિયલ લાઈફ જોડી સાથે એક્સ કપલ પણ સાથે જોવા મળશે. જણવાી દઈએ કે નચ બલિયેના મેકર્સ જૂનના અંત સુધી શોની તમામ જોડીને ફાઈનલ કરી લેશે. શક્ય છે કે 9 જુલાઈના રોજ શો ટેલિકાસ્ટ કરવાની યોજના છે. હવે એ જોવું દિલચસ્પ હશે કે આ વખતે નચ બલિયેનો એક્સવાળો કોન્સેપ્ટ કેટલો પસંદ આવે છે. ચલો ત્યારે સમય ગુમાવ્યા વીના ટૉપ ટીવી કપલ પર નજર ફેરવીએ..

રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂ
રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂએ 2012માં લગ્ન કર્યાં હતાં. પરંતુ વર્ષ 2015માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. અહેવાલો મુજબ બંનેના તલાકનું કારણ નંદીશની એક મૉડેલ સાથે વધતી નજદીકીઓ જણાવવામાં આવી છે.

કરણ પટેલ અને અમિતા
નચ બલિયે 3 દરમિયાન કરણ પટેલે અમિતા સાથે આ મંચ પર રોમાંસ વાળો ડાન્સ કર્યો હતો. પરંતુ બાદમાં એવા અહેવાલ આવ્યા હતા કે અમિતા અને કરણ માત્ર સારા મિત્રો છે.

કવિતા કૌશિક અને કરણ ગ્રોવર
કવિતા કૌશિક અને કરણ ગ્રોવર નચ બલિયે સીઝન 3માં આવ્યા તો જજથી લઈ દર્શકો સુધી તમામે આ જોડીને બહુ પસંદ કરી પરંતુ શો ખતમ થયા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

શ્રદ્ધા નિગમ અને કરણ સિંહ ગ્રોવર
શ્રદ્ધા નિગમ કરણ સિંહ ગ્રોવરની પહેલી પત્ની છે. બંને નચ બલિયે બાદ એકબીજાથી અલગ થઈ ગયા હતા. 2 ડિસેમ્બર 2008માં લગ્ન કર્યાં હતાં. 10 મહિના બાદ તલાક લઈ લીધા.

ડેલનાઝ અને રાજીવ
2010માં ડેલનાઝ અને રાજીવે લગ્ન અને 2012માં છૂટાછેડા લઈ લીધા. બંને 14 વર્ષથી રિલેશનશિપમાં હતા. ડેલનાઝે રાજીવ પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દલજીત અને શાલીન ભનોટ
વર્ષ 2009માં દલજીત અને ટીવી એક્ટર શાલીન ભનોટે લગ્ન કર્યાં હતાં પરંતુ તેમના આ લગ્ન વધુ સમય સુધી ન ટકી શક્યાં અને બંનેએ તલાક લઈ લીધા. નચ બલિયેમાં તેમને એકસાથે છેલ્લી વાર જોવામાં આવ્યાં હતાં. દીકરો થયા બાદ શાલીન અને દલજીતમાં ભારે વિવાદ પેદા થયો હતો.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ
કરિશ્મા તન્ના અને ઉપેન પટેલની મુલાકાત બિગ બૉસ 9માં થઈ અને બંને નચ બલિયે બાદ કેટલાક મહિના સુધી સાથ રહી અલગ થઈ ગયા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
