નચ બાલિયે 9ને લઈ સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, એક્સ કપલ ધમાલ મચાવશે
નચ બાલિયે 9ને લઈ સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, એક્સ કપલ ધમાલ મચાવશે
નચ બાલિયે સીઝન 9ને લઈ આ વખતે ફેન્સ વચ્ચે ઉત્સાહ વધી રહ્યો છે. ગત બે વર્ષથી ફેન્સમાં ઉત્સાહ વધી ગયો છે. ગત બે વર્ષથી ફેન્સ આ શોના આવવાનો ઈંતેજાર કરી રહ્યા હતા. આવતાની સાથે જ આ શોનું નામ સલમાન ખાન સાથે જોડાઈ ગયું છે. જી હાં, અમે પહેલા પણ તમને જણાવી ચૂક્યા છીએ કે નચ બલિયે 9ના નિર્માલા આ વખતે સલમાન ખાન હશે. એવા અહેવાલ છે કે તેઓ શોના કેટલાક એપિસોડને જજ કરતા પણ જોવા મળી શકે છે. પરંતુ જો તમે એમ વિચારી રહ્યા હોવ કે આ વખતે ટીવીના રિયલ લાઈફ કપલ નચ બાલિયાના ધમાલ મચાવશે, તો એવું બિલકુલ નથી. બલકે આ શોમાં પહેલીવાર નવું ટ્વિસ્ટ લાવવામાં આવી રહ્યું છે.

સલમાન ખાને કર્યો મોટો ખુલાસો
સલમાને આ વિશે નચ બલિયે 9માં એક્સ લવર્સને સ્ટેજ પર ઉતારવાની યોજના બનાવી છે. એક અખબાર મુજબ આ વર્ષે નચ બલિયે એન્ટરટેઈનમેન્ટનો એવો ટ્વિસ્ટ લાવશે, જેને જોઈ ફેન્સ સરપ્રાઈઝ થઈ જશે. આ વખતે રિયલ લાઈફ જોડી સાથે એક્સ કપલ પણ સાથે જોવા મળશે. જણવાી દઈએ કે નચ બલિયેના મેકર્સ જૂનના અંત સુધી શોની તમામ જોડીને ફાઈનલ કરી લેશે. શક્ય છે કે 9 જુલાઈના રોજ શો ટેલિકાસ્ટ કરવાની યોજના છે. હવે એ જોવું દિલચસ્પ હશે કે આ વખતે નચ બલિયેનો એક્સવાળો કોન્સેપ્ટ કેટલો પસંદ આવે છે. ચલો ત્યારે સમય ગુમાવ્યા વીના ટૉપ ટીવી કપલ પર નજર ફેરવીએ..

રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂ
રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂએ 2012માં લગ્ન કર્યાં હતાં. પરંતુ વર્ષ 2015માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. અહેવાલો મુજબ બંનેના તલાકનું કારણ નંદીશની એક મૉડેલ સાથે વધતી નજદીકીઓ જણાવવામાં આવી છે.

કરણ પટેલ અને અમિતા
નચ બલિયે 3 દરમિયાન કરણ પટેલે અમિતા સાથે આ મંચ પર રોમાંસ વાળો ડાન્સ કર્યો હતો. પરંતુ બાદમાં એવા અહેવાલ આવ્યા હતા કે અમિતા અને કરણ માત્ર સારા મિત્રો છે.

કવિતા કૌશિક અને કરણ ગ્રોવર
કવિતા કૌશિક અને કરણ ગ્રોવર નચ બલિયે સીઝન 3માં આવ્યા તો જજથી લઈ દર્શકો સુધી તમામે આ જોડીને બહુ પસંદ કરી પરંતુ શો ખતમ થયા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

શ્રદ્ધા નિગમ અને કરણ સિંહ ગ્રોવર
શ્રદ્ધા નિગમ કરણ સિંહ ગ્રોવરની પહેલી પત્ની છે. બંને નચ બલિયે બાદ એકબીજાથી અલગ થઈ ગયા હતા. 2 ડિસેમ્બર 2008માં લગ્ન કર્યાં હતાં. 10 મહિના બાદ તલાક લઈ લીધા.

ડેલનાઝ અને રાજીવ
2010માં ડેલનાઝ અને રાજીવે લગ્ન અને 2012માં છૂટાછેડા લઈ લીધા. બંને 14 વર્ષથી રિલેશનશિપમાં હતા. ડેલનાઝે રાજીવ પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દલજીત અને શાલીન ભનોટ
વર્ષ 2009માં દલજીત અને ટીવી એક્ટર શાલીન ભનોટે લગ્ન કર્યાં હતાં પરંતુ તેમના આ લગ્ન વધુ સમય સુધી ન ટકી શક્યાં અને બંનેએ તલાક લઈ લીધા. નચ બલિયેમાં તેમને એકસાથે છેલ્લી વાર જોવામાં આવ્યાં હતાં. દીકરો થયા બાદ શાલીન અને દલજીતમાં ભારે વિવાદ પેદા થયો હતો.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ
કરિશ્મા તન્ના અને ઉપેન પટેલની મુલાકાત બિગ બૉસ 9માં થઈ અને બંને નચ બલિયે બાદ કેટલાક મહિના સુધી સાથ રહી અલગ થઈ ગયા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
