Exclusive ‘સિદ્ધૂ વગર બેકાર થઈ જશે બિગ બૉસ’
મુંબઈ, 9 નવેમ્બર : ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવતાં નવજ્યોત સિંહ સિદ્ધૂ બિગ બૉસ 6માંથી બહાર જઈ રહ્યાં છે. મોદીની ઇમર્જંસી કૉલિંગ પર સિદ્ધૂ શોમાંથી બહાર જવાના છે.
પરંતુ આ ખબર સાંભળતાં જ સિદ્ધનાં પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. તેમને આ સાંભળી સારૂ નથી લાગ્યું. આઈટી કમ્પનીમાં કામ કરતાં સીનિયર એંજીનિયર અતુલ જોશી, એંજીનિયર નમ્રતા ખન્ના, સિદ્ધાર્થ ચૌધરી, અનુપમ ગુપ્તા જેવા દર્શકોએ વનઇન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેમને આ સમાચારે ઉકળાવી મુક્યાં છે, કારણ કે તેઓ તો સિદ્ધૂના કારણે જ આ શો જુએ છે. એટલું જ નહિં, જો તેમને સમય ન મળી શકે, તો તેઓ ઇન્ટરનેટ ઉપર પણ સીરિયલ ડાઉનલોડ કરી જુઓ છે. તેમને સિદ્ધૂનો મજાકિયો અંદાજ ખૂબ પસંદ છે.
સિદ્ધૂને બાદ કરી દઇએ, તો શોમાં છે જ શું? વગર સિદ્ધૂએ બેકાર થઈ જશે બિગ બૉસ. સરવાળે સિદ્ધૂ વગર અમે તો આ શો જાવનાં નથી. ફૅન્સે જણાવ્યું કે અમે તો વિચારતા હતાં કે આ વખતનો બિગ બૉસ સિદ્ધૂ જ જીતશે.
તો જોયું આપે કે સિદ્ધૂને લોકો કઈ હદે પસંદ કરે છે. સાચે જ સિદ્ધૂનું બહાર જવું શો માટે સારી બાબત નથી. જોઇએ કે કલર્સ આ બાબતમાં શાં પગલાં ભરે છે?