નવા શોના સમાચાર પર ફરીથી ગુસ્સામાં કપિલ, ‘કંઈ પણ લખે છે મીડિયાવાળા'
કપિલનું કહેવુ છે કે મીડિયાવાળા તેના વિશે વગર વાતે કંઈ પણ લખે છે. મે કોઈ પત્રકાર સાથે વાત નથી કરી.
કોમેડી કિંગ કહેવાતા કપિલ શર્માના કમબેકની રાહ તેના ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કપિલ ઓક્ટોબરમાં પોતાના નવા કોમેડી શો સાથે સોની ટીવી પર કમબેક કરશે પરંતુ હવે આ વિશે કપિલ શર્માએ મોટુ નિવેદન આપ્યુ છે.
કંઈ પણ છાપે છે મીડિયાવાળાઃ કપિલ શર્મા
પોતાના જોક્સથી લોકોને પોતાના કાયલ કરનાર કપિલ શર્માએ આ બધી બાબતોનું ખંડન કર્યુ છે. કપિલનું કહેવુ છે કે મીડિયાવાળા તેના વિશે વગર વાતે કંઈ પણ લખે છે. મે કોઈ પત્રકાર સાથે વાત નથી કરી. જે કંઈ પણ મારા વિશે લખવામાં આવી રહ્યુ છે તે બધુ મીડિયાની મનગઢંત વાતો છે. હું મીડિયાવાળાને વિનંતી કરુ છુ કે પ્લીઝ, મારા વિશે કંઈ પણ ના લખો.
આ પણ વાંચોઃબલ્ગેરિયામાં 'બ્રહ્માસ્ત્ર' ના સેટ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
કપિલને મીડિયા પર ફરીથી આવ્યો ગુસ્સો
તમને જણાવી દઈએ કે કપિલનું આ રીતે મીડિયા પર ગુસ્સે થવુ પહેલી વાર નથી. તે આ પહેલા પણમ એક જાણીતી વેબસાઈટના જાણીતા પત્રકાર પર પણ ભડકી ચૂક્યા છે. તેણે તે વખતે પણ આરોપ લગાવ્યો હતો કે તેને પૂછ્યા વિના વેબસાઈટ તેના વિશે કંઈ પણ છાપી રહી હતી.
વેબસાઈટે કર્યો હતો કપિલના નવા શો નો દાવો
તમને જણાવી દઈએ કે ગયા મહિને વેબસાઈટ પીપિંગ મૂને સમાચાર છાપ્યા હતા કે તેમની સાથે થયેલી વાતચીતમાં કપિલ શર્માએ કહ્યુ હતુ કે તેઓ કમબેક માટે તૈયાર છે. તેઓ પોતાના ફેન્સ માટે ટૂંક સમયમાં નાના પડદે ‘ધ કપિલ શર્મા શો' ની નવી સિઝન લઈને આવશે. જો કે કપિલ શર્માનું એમ પણ કહેવુ છે કે હજુ બધુ પ્રારંભિક સ્ટેજમાં છે એટલા માટે તે તેના વિશે દર્શકોને વધુ કંઈ નહિ જણાવી શકે. આ સાચુ છે કે હું કમબેક કરી રહ્યો છુ અને દાવો કરુ છુ કે આ શો પણ ગયા શો ની જેમ મઝેદાર હશે અને દર્શકોને ખૂબ મઝા આવશે પરંતુ હવે કપિલે બધી બાબતો માનવાનો ઈનકાર કરી દીધો છે.
આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણે આખરે કન્ફર્મ કર્યા લગ્ન, જુઓ બોલિવુડની સુંદર નવવધુઓ