વરસ બાદ નાના પડદે કમબૅક કરી ખુશ છે રાગિણી ખન્ના
મુંબઈ, 29 એપ્રિલ : નાના પડદાના કલાકાર રાગિણી ખન્નાએ તાજેતરમાં જ એક ટેલીવિઝન શ્રેણી બદલતે રિશ્તોં કી દાસ્તાંના એક એપિસોડ માટે શૂટિંગ કર્યું. રાગિણી લાંબા સમય બાદ પુનઃ સીરિયલમાં કમબૅક કરી ખુશ છે.
રાગિણીએ સીરિયલના સેટ ઉપર જણાવ્યું - હું પૂરા એક વરસ બાદ કોઈ ટીવી શ્રેણી માટે શૂટિંગ કરી રહી છું અને એક સાથે અનેક પ્રકારની લાગણીઓ મારા મનમાં ઉમટી રહી છે, પણ હું બહુ ખુશ છું, કારણ કે સસુરાલ ગેંદા ફૂલ સીરિયલની ટીમ સાથે કામ કરી રહી છું. રાગિણી સ્ટાર પ્લસની સીરિયલ સસુરાલ ગેંદા ફૂલ સાથે ચર્ચામાં આવ્યા હતાં અને હવે તે જ ટીમ ઝી ટીવીની સીરિયલ બદલતે રિશ્તોં કી દાસ્તાંમાં કામ કરી રહી છે.
તાજેતરમાં જ ઝલક દિખલા જાની યજમાની કરી ચુકેલા રાગિણી ખન્ના કહે છે - મને ટીમ સાથે વિતાવેલી ક્ષણો યાદ આવતી હતી. નોંધનીય છે કે રાગિણી બૉલીવુડ અભિનેતા ગોવિંદાના ભાણેજ છે. હાલ તેઓ ઝી ટીવીના રિયલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝની યજમાની કરી રહ્યાં છે.