For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધાર્થ શુક્લાના નિધને બદલી શહેનાઝ ગિલની જિંદગી, કહ્યુ - એ આત્માએ મને શીખવ્યુ, જુઓ Video

સિદ્ધાર્થ શુક્લાના નિધનના ચાર મહિના બાદ શહેનાઝ ગિલે પોતાની યુટ્યુબ ચેનલ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સિદ્ધાર્થ શુક્લાના વર્ષ 2021માં નિધન બાદ શહેનાઝ ગિલે ફરીથી પોતાની હિંમત બતાવી છે સિદ્ધાર્થ શુક્લાના નિધનના ચાર મહિના બાદ શહેનાઝ ગિલે પોતાની યુટ્યુબ ચેનલ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જ્યાં શહેનાઝે સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને જિંદગી જીવવા તરફ એક નવી રોશની બતાવી છે.

જિંદગી જીવવાની નવી રાહ બતાવી

જિંદગી જીવવાની નવી રાહ બતાવી

બ્રહ્માકુમારી બીકે શિવાનીએ જિંદગી જીવવાની નવી રાહ બતાવી છે. શહેનાઝ ગિલે જણાવ્યુ છે કે કેવી રીતે સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી તેણે જિંદગી પ્રત્યે પોતાના વિચારો બદલ્યા છે. શહેનાઝ ગિલે યુટ્યુબ ચેનલ પર એક કલાકનો વીડિયો શેર કર્યો છે. શહેનાઝ ગિલે બીકે શિવાની સાથે વાત કરીને સિદ્ધાર્થ શુક્લાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે મે સિદ્ધાર્થને ઘણી વાર કહ્યુ હતુ કે મારે શિવાનીબેનને મળવુ છે.

એક દિવસ જરુર મળીશ, તુ ચિલ કર

એક દિવસ જરુર મળીશ, તુ ચિલ કર

એ હંમેશા કહેતા કે આ એક દિવસ જરુર મળીશ. તુ ચિલ કર બસ. અને એ જ થયુ. શહેનાઝ ગિલે કહ્યુ કે દરેકનુ કોઈને કોઈ જતુ રહે છે. હું પણ પહેલા બૉડીને લઈને સહજ હતી. હવે હું પણ આત્માને લઈને વધુ સહજ છુ. હું પહેલા લોકોનુ વિશ્લેષણ નહોતી કરી શકતી.

મને જીવને ઘણુ બધુ શીખવ્યુ

મને જીવને ઘણુ બધુ શીખવ્યુ

શહેનાઝ ગિલે કહ્યુ કે મને ખૂબ ભરોસો હતો. હું એ વખતે ઘણી માસૂમ હતી. આત્માએ મને જીવનમાં ઘણુ બધુ શીખવ્યુ છે. ભગવાને મને એ આત્મા સાથે મેળવી અને અમને દોસ્તની જેમ સાથે રાખ્યા જેથી તે મને જીવનમાં કંઈક શીખવી શકે.

મારો રસ્તો ઈશ્વર તરફ જવાનો હતો

મારો રસ્તો ઈશ્વર તરફ જવાનો હતો

સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને શહેનાઝે કહ્યુ કે છેલ્લા બે વર્ષમાં મે ઘણુ બધુ શીખ્યુ. મારો રસ્તો ઈશ્વર તરફ જવાનો હતો. આના કારણે આત્મા મારા જીવનમાં આવી. તેણે મને તમારા જેવા લોકો સાથે મેળવી. હું બધુ હિંમતથી સંભાળી શકુ છે. હું ખૂબ મજબૂત બની ગઈ છુ.

તેમની સફર પૂરી થઈ ચૂકી છે

તેમની સફર પૂરી થઈ ચૂકી છે

સિદ્ધાર્થ વિશે શહેનાઝ ગિલે આગળ કહ્યુ કે તેમની સફર પૂરી થઈ ચૂકી છે. તેમના કપડા બદલાઈ ચૂક્યા છે. તે ક્યાંકને ક્યાંક જઈ ચૂક્યા છે. તેમનો મારી સાથે સંપર્ક બંધ થઈ ચૂક્યો છે. પરંતુ કદાચ આ આગળ ચાલુ રહેશે. શહેનાઝ ગિલે અંતમાં એ પણ કહ્યુ કે હું હંમેશા વિચારતી હતી કે આત્માએ મને એટલુ જ્ઞાન આપ્યુ છે.

શહેનાઝ ગિલ તૂટી ચૂકી હતી

શહેનાઝ ગિલ તૂટી ચૂકી હતી

તમને જણાવી દઈએ કે શહેનાઝ ગિલે આ વીડિયોમાં મોત બાદની જીવન પર વાત કરી અને તેના ચહેરા પર એક શાંતિ પણ દેખાઈ રહી હતી. સહુ કોઈ જાણે છે કે સિદ્ધાર્થ શુક્લાનુ 2 સપ્ટેમ્બર, 2021ના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયુ હતુ જે બાદ શહેનાઝ ગિલ તૂટી ચૂકી હતી. એવામાં શહેનાઝ ગિલે જે રીતે ખુદને ઉભી કરી તે પ્રશંસનીય છે. તમે અહીં નીચે શહેનાઝ ગિલનો આખો વીડિયો જોઈ શકો છો.

English summary
Shehnaaz Gill first time talk about sidharth shukla death with brahmakumari bk shivani. Watch Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X