For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્વેતા તિવારીએ પોતાના લગ્નને ગણાવ્યો ઝેરીલો ઘા, પતિ અભિનવ પર લગાવ્યા આરોપ

ટીવીની દુનિયાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી એક વાર ફરીથી પોતાના એક નવા શોના કારણે ચર્ચિત છે.

|
Google Oneindia Gujarati News

ટીવીની દુનિયાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી એક વાર ફરીથી પોતાના એક નવા શોના કારણે ચર્ચિત છે. તે સોની ટીવીના જાણીતા શો 'મેરે ડેડ કી દુલ્હન' દ્વારા એક વાર ફરીથીધમાલ મચાવવા માટે તૈયાર છે. હાલમાં જ આ શોના પ્રમોશન દરમિયાન શ્વેતા તિવારીએ સ્પૉટબોય સાથે વાતચીત કરી જ્યાં તેમણે શો ઉપરાંત પોતાની પર્સનલ લાઈફ વિશે પણ ખુલીને વાતચીત કરી.

શ્વેતા તિવારીએ પતિ અભિનવ કોહલી પર લગાવ્યા છે સંગીન આરોપ

શ્વેતા તિવારીએ પતિ અભિનવ કોહલી પર લગાવ્યા છે સંગીન આરોપ

શ્વેતા તિવારી સાથે તેની દીકરીએ પણ મુંબઈના સમતા નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ અભિનવે બે દિવસ જેલમાં કાપવા પડ્યા હતા. એક્ટરને આઈપીસીની કલમ 354એ,323, 504, 506,509 હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા. આરોપ હતો કે અભિનવ કોહલીએ પોતાની પારકી દીકરી સામે અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે.

લગ્ન એક ઝેરીલો ઘા છેઃ શ્વેતા તિવારી

લગ્ન એક ઝેરીલો ઘા છેઃ શ્વેતા તિવારી

આ વિશે વાત કરતા શ્વેતાએ કહ્યુ કે તેમણે ખોટાને જ ખોટુ કહ્યુ છે અને આ વાત માટે તેમને કોઈ દુઃખ નથી. શ્વેતાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેમનો મહિલાઓ પ્રત્યે શું મેસેજ છે જે ઘરેલુ હિંસાનો શિકાર બને છે ત્યારે શ્વેતાએ કહ્યુ જે લોકો કહે છે કે ‘સારુ ફરીથી પણ પ્રોબ્લેમ?' જો આવુ ન થતુ તો હું તેમને પૂછવા ઈચ્છુ છુ કે છેવટે આવુ કેમ નથી થઈ શકતુ. લોકો શું બોલે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો. કમસે કમ મારી પાસે હિંમત તો છે કે મને ફરીથી સમસ્યાનો સામનો કરવો પડે તો હું મારી સમસ્યાઓ વિશે કોઈ ડર વિના બોલી શકુ છુ, મારી દીકરી માટે લડી શકુ છુ, જેના સાથે ખોટુ થઈ રહ્યુ હતુ, લોકો શું બોલે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો, હું માત્ર એ જ કરીશ જે મારા બાળકોની પર્સનલ ગ્રોથ માટે યોગ્ય છે. તેમણે પોતાના લગ્નની તુલના એક ઝેરીલા ઘા સાથે કરી.

આ પણ વાંચોઃ Video: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો બાથરૂમ વીડિયો જોઈ તમે પણ થઈ જશો મદહોશઆ પણ વાંચોઃ Video: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો બાથરૂમ વીડિયો જોઈ તમે પણ થઈ જશો મદહોશ

શ્વેતાએ જણાવ્યુ કે તે વાસ્તવમાં ખુશ છે...

શ્વેતાએ જણાવ્યુ કે તે વાસ્તવમાં ખુશ છે...

શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે થયેલા લગ્ની તુલના એક ઝેરીલા ઘા સાથે કરતા કહ્યુ કે તેને આમાંથઈ બહાર નીકળવુ હતુ. શ્વેતાએ જણાવ્યુ કે તે વાસ્તવમાં ખુશ છે અને પોતાના આવનારા શો ‘મેરે ડેડકી દુલ્હન' માટે ઘણી ઉત્સાહિત છે.

બે બાળકોની મા છે શ્વેતા તિવારી

બે બાળકોની મા છે શ્વેતા તિવારી

તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ કસૌટી જિંદગી કીથી પોતાના કેરિયરની શરૂઆત કરનાર શ્વેતા તિવારીએ ઘર ઘરમાં પ્રેરણાની ભૂમિકાના નામથી ચર્ચિત રહી. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. તે બિગ બૉસ 4ની વિનર રહી ચૂકી છે. પહેલા લગન રાજા ચૌધરી સાથે થયા હતા. શ્વેતા 19 વર્ષની ઉંમરમાં 23 ડિસેમ્બર 1998ના રોજ રાજા ચૌધરી સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. 2 વર્ષ બાદ તેણે દીકરી પલકને જન્મ આપ્યો. ત્યારબાદ ઘણી વાર બંને વચ્ચે અણબનાવ થવા લાગ્યા. તેમણે ખુલીને રાજ પર ઘરેલુ હિંસા, મારપીટ કરવા અને દીકરીની હત્યા કરવાની કોશિશનો આરોપ લગાવ્યો. રાજા ન માત્ર શ્વેતા તિવારી સાથે મારપીટ કરતો પરંતુ દીકરી પલક પર પણ હાથ ઉઠાવતા હતા. શ્વેતાએ વર્ષ 2007નાં રાજા સાથે છૂટાછેડા લીધા.

અભિનવ સાથે કર્યા બીજા લગ્ન

અભિનવ સાથે કર્યા બીજા લગ્ન

ત્યારબાદ વર્ષ 2013માં તેણે અભિનવ સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ તે બીજી વાર મા બની અને દીકરા રેયાંશને જન્મ આપ્યો પરંતુ છેલ્લા બે વર્ષથી તેના અભિનવ સાથે સંબંધો બરાબર નથી. થોડા સમય પહેલા શ્વેતાએ પતિ સામે પોલિસમાં ફરિયાદ કરાવી તો સત્ય બધા સામે આવ્યુ.

English summary
Shweta Tiwari is all set with her new show, Mere Dad Ki Dulhan. She calls second marriage with Abhinav Kohli a poisonous infection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X