સુપર સ્ટાર રજનિકાંતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
કોરોના મહામારીને કારણે માત્ર કંપનીઓ જ નહીં ફિલ્મ ઉદ્યોગને ભારે અસર થઈ છે. આને લીધે થિયેટરો ઘણા લાંબા સમયથી બંધ રહ્યા હતા અને ફિલ્મોના શૂટિંગ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ફિલ્મ્સનું શૂટિંગ શરૂ થયું છે ત્યારથી આપણા સ્
કોરોના મહામારીને કારણે માત્ર કંપનીઓ જ નહીં ફિલ્મ ઉદ્યોગને ભારે અસર થઈ છે. આને લીધે થિયેટરો ઘણા લાંબા સમયથી બંધ રહ્યા હતા અને ફિલ્મોના શૂટિંગ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ફિલ્મ્સનું શૂટિંગ શરૂ થયું છે ત્યારથી આપણા સ્ટાર્સ પોઝિટીવ જોવા મળી રહ્યા છે.
તાજેતરમાં આવું જ કઇક સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ અન્નાથેના શૂટિંગ દરમિયાન થયું હતું. અને તેની ફિલ્મ ટીમના આશરે 8 લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરવું પડ્યું હતું. પરંતુ હવે સુપરસ્ટારની હાલત કથળી છે અને તેને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે તબિયત લથડતા સુપરસ્ટાર રજનીકાંતને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર મુજબ બ્લડ પ્રેશરના વધઘટને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Christmas 2020: કોરોના ગાઈડલાઈન સાથે દુનિયાભરમાં મનાવાઈ રહી છે ક્રિસમસ