આશ્રમ વિવાદ: બોબી દેઓલ અને પ્રકાશ ઝાને નોટીસ, જાણો શું છે મામલો
અભિનેતા બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાને રાજસ્થાનની જોધપુર કોર્ટ દ્વારા 'આશ્રમ' ની વેબ સિરીઝ સામે નોંધાયેલા કેસમાં નોટિસ ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસની આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. તમને જણાવ
અભિનેતા બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાને રાજસ્થાનની જોધપુર કોર્ટ દ્વારા 'આશ્રમ' ની વેબ સિરીઝ સામે નોંધાયેલા કેસમાં નોટિસ ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસની આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બોબી દેઓલ આજકાલ તેની પ્રખ્યાત વેબ સીરીઝ 'આશ્રમ'ની ત્રીજી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વેબ સિરીઝનું દિગ્દર્શન બોલિવૂડના જાણીતા નિર્દેશક અને નિર્માતા પ્રકાશ ઝા કરી રહ્યા છે.
આ માટે કોર્ટે જારી કરી નોટીસ
ઓનલાઇન ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયરની લોકપ્રિય વેબ સિરીઝ 'આશ્રમ' નો ભાગ 1 અને ભાગ 2 રિલીઝ કરવામાં આવ્યો છે. દર્શકોને આ વેબ સિરીઝમાં બોબી દેઓલનો અભિનય ગમી ગયો છે. લોકપ્રિય વેબ સિરીઝ 'આશ્રમ' ને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને હવે તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોશે. જોધપુર કોર્ટની નોટિસ પછી બોબી દેઓલ અને પ્રકાશ ઝાની મુશ્કેલીઓ વધી ગઈ છે, હવે ચાહકોને 'આશ્રમ' ની ત્રીજી સીઝન માટે થોડી રાહ જોવી પડી શકે છે.
શું છે મામલો
'આશ્રમ' ની પહેલી સિઝનના રિલિઝ પછીથી આ વેબ સિરીઝ પર લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નિર્માતાઓ અને અભિનેતા બોબી દેઓલ પર આ લોકપ્રિય વેબ સિરીઝની બીજી સીઝનની રજૂઆત પછી પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકાયો હતો. આ કેસમાં જોધપુર કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે આજે સુનાવણી કરી હતી. જોકે વેબ સીરીઝના મુખ્ય કલાકારો બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાએ તમામ આરોપોને નકારી દીધા છે.
બોબી દેઓલ અને પ્રકાશ ઝાએ આપી સફાઇ
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક ઇન્ટરવ્યુમાં બોબી દેઓલ અને પ્રકાશ ઝાએ વેબ સિરીઝ 'આશ્રમ' ને કોઈ પણ રીતે સાધુ-સંતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઇનકાર કર્યો હતો. પ્રકાશ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ વેબ સિરીઝ જાહેર ક્ષેત્રની માહિતી અને તથ્યોના આધારે બનાવવામાં આવી છે. આ સિવાય અભિનેતા બોબી દેઓલે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ વેબ સિરીઝમાં બાબાની વિરુદ્ધ એવી વાતો કરવામાં આવી છે કે જેઓ ધર્મના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે. તમને જણાવી દઈએ કે બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ' ને 400 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: મંત્રીઓના બંગલાઓ પર 90 કરોડ ખર્ચ થવા વાળી વાત ખોટી: અજીત પવાર