ગુજરાતમાં લાઉડસ્પીકર હિંસાના 2 બનાવો, 1નું મોત
ગુજરાતમાં એક સપ્તાહની અંદર મંદિરોમાં હાઈ-ડેસિબલ સ્પીકર્સનો ઉપયોગ કરવાને લઈને હિંસાની બે ઘટનાઓ નોંધાઈ છે, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગૂમાવ્યો છે.
અમદાવાદ : ગુજરાતમાં એક સપ્તાહની અંદર મંદિરોમાં હાઈ-ડેસિબલ સ્પીકર્સનો ઉપયોગ કરવાને લઈને હિંસાની બે ઘટનાઓ નોંધાઈ છે, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગૂમાવ્યો છે.

પ્રથમ કિસ્સામાં, અમદાવાદના બાવળા તાલુકાના મીઠાપુર ગામના 30 વર્ષીય વ્યક્તિ અને તેના પરિવારના નવ સભ્યો પર 2 મે ના રોજ મંદિરમાં લાઉડસ્પીકર વગાડવાના વિવાદને લઈને નવ શખ્સોએ તલવારો, લોખંડના સળિયા અને છરા વડે હુમલો કર્યો હતો.
આરોપી કેશુ ગોહિલ, દિપક ગોહિલ, પ્રકાશ ગોહિલ, મુકેશ ગોહિલ, બટુક ગોહિલ, ઘનશ્યામ ગોહિલ, પ્રદિપ ગોહિલ, શાંતિ ગોહિલ અને દશરથ ગોહિલે લાઉડ સ્પીકરના અવાજ સામે વાંધો ઉઠાવતા ભરત રાઠોડ પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના પરિવારની બે મહિલાઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
4 મે ના રોજ મહેસાણાના એક ગામના 42 વર્ષીય જશવંત ઠાકોરને મંદિરમાં લાઉડસ્પીકર વગાડવા બદલ તેના જ સમુદાયના સભ્યોએ માર માર્યો હતો. હુમલામાં જશવંતના મોટા ભાઈ અજીતને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અજિતે મહેસાણાની લાંઘણજ પોલીસમાં સદાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, બાબુજી ઠાકોર, જયંતિજી ઠાકોર, જવાનજી ઠાકોર અને વિનુજી ઠાકોર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.












Click it and Unblock the Notifications
