અમદાવાદમાં બનશે 4 નવા ફ્લાયઓવર બ્રિજ, PM મોદી કરશે શિલાન્યાસ

PM Modi in Ahemdabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા શહેરના બાકરોલ, પાંજરાપોળ, રામોલ અને હાથીજણ જંક્શન ખાતે 391 કરોડના ખર્ચે બાંધવામાં આવનારા ચાર છ લેન ઓવરબ્રિજનો 16 સપ્ટેમ્બરના રોજ શિલાન્યાસ કરે તેવી અપેક્ષા છે.

આ ચાર જંકશન પરથી 75,000 થી વધુ વાહનો પસાર થાય છે, જ્યાં આ 27 મીટર પહોળા પુલ બનાવવામાં આવશે.

AUDA એ આ વ્યસ્ત રોડ પર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંકના સહાયતા પ્રોજેક્ટ હેઠળ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર 10 જંકશન પર ફ્લાયઓવર બનાવવાનું આયોજન કર્યું છે.

જેમાંથી છ બ્રિજ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ચાર નવા બ્રિજના ભૂમિપૂજન (શિલાન્યાસ સમારંભ) બાદ, અઢી વર્ષમાં બાંધવામાં આવે તેવી અપેક્ષા છે.

PM Modi in Ahemdabad
  • રામોલમાં 80 કરોડના ખર્ચે 900 મીટર લાંબો અને 27 પહોળો ઓવર બ્રિજ બનશે
  • પાંજરાપોળમાં 85 કરોડના ખર્ચે 890 મીટર લાંબો અને 27 પહોળો ઓવર બ્રિજ બનશે
  • હાથીજણમાં 78 કરોડના ખર્ચે 860 મીટર લાંબો અને 27 પહોળો ઓવર બ્રિજ બનશે
  • બાકરોલમાં 64 કરોડના ખર્ચે 850 મીટર લાંબો અને 27 પહોળો ઓવર બ્રિજ બનશે

16 સપ્ટેમ્બરના રોજ ઝુંડાલ વિસ્તારમાં 1,120 EWS (આર્થિક રીતે નબળા વિભાગ) ઘરોનું ઈ-લોન્ચ કરવામાં આવશે. દોઢ રૂમના કિચન ફ્લેટની કિંમત 6 લાખ રાખવામાં આવી છે.

જેના માટે વર્ષ 2021-22 માટે યોજાયેલા ડ્રોમાં એક લાખથી વધુ અરજીઓ મળી હતી. ડ્રોમાં કુલ 1,025 મકાનો ફાળવવામાં આવ્યા છે, જ્યારે 95 મકાનો ફાળવાયા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X