ગુજરાતના દૈનિક કોવિડ-19 કેસોમાંથી 60% અમદાવાદના
10 નવા કોવિડ કેસ સાથે ગુજરાતમાં મંગળવારે દૈનિક કોરોના કેસની સંખ્યા છેલ્લા પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે રહી.
અમદાવાદઃ 10 નવા કોવિડ કેસ સાથે ગુજરાતમાં મંગળવારે દૈનિક કોરોના કેસની સંખ્યા છેલ્લા પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે રહી. નવા સંક્રમણોમાંથી છ કેસ વડોદરા અને એક સુરતમાંથી સામે આવ્યો. ખાસ કરીને આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે રાજ્યમાં નોંધવામાં આવલે નવા કેસોમાં શહેરોમાં 90 ટકા અથવા તેનાથી વધુનુ યોગદાન હતુ. વળી, 13 દર્દાીઓના ડિસ્ચાર્જ થવા સાથે જ અમદાવાદમાં સક્રિય કેસ લોડ 62 સુધી પહોંચી ગયો છે.
અમદાવાદમાં રસીકરણની વાત કરીએ તો બુધવારે 60થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 1406 બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા. વળી, 15થી 18 વર્ષના આયુ વર્ગમાં કુલ 1144 લાભાર્થીઓે કોવિડ-19નો રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો. આ જ રીતે બધી સરકારી અને ખાનગી સુવિધાઓમાં કુલ 20,374 કોવિડ રસીકરણનો ડોઝ આપવામાં આવ્યો.
ગુજરાતના કોવિડ કેસોની વાત કરીએ તો મંગળવારે 10 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા જે પોતાના દૈનિક કેસોમાં પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે. આ દરમિયાન રાજ્યમાં માત્ર એક કોવિડ સંબંધિત મોત નોંધવામાં આવ્યુ છે. બીજી તરફ રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 308 હતી.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1778 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,383 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 62 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે. એક્ટિવ કેસ : 23,087, કુલ કેસ : 4,30,12,749, કુલ રસીકરણ : 1,81,89,15,234.
સોશિયલ મીડિયા પર આ ચોથાવેવની ચર્ચા થઈ રહી છે. આવા સમયે, કેટલાક નિષ્ણાતો જૂનમાં તેના આગમનની આગાહી કરી રહ્યા છે. સરકારના નિષ્ણાત ડૉ. એન. કે. અરોરાએ કહ્યું છે કે, કોરોનાની ચોથી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં ગટરનાપાણીના સેમ્પલિંગ પણ કરીશું. તેમણે કહ્યું કે, આ રીતે સમુદાય સ્તરે પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં આવશે.