ભિખારીને કારમાં બેસાડી સળગાવી 80 લાખનો વીમો મેળવ્યો, પોતાના મરણનો જ કારસો રચનાર આરોપી ઝડપાયો
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં વર્ષ 2006માં એક કાર અકસ્માતમાં બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાં તેનો કાર ચાલક મૃત્યુ પામ્યો હતો. જેની ઓળખ અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરી તરીકે થઈ હતી. મૃતકના પિતાએ મૃતદેહ સ્વીકારીને અંતિમ વિધિ કરી વીમાની રકમ મેળવી લીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ એસ ત્રિવેદીને બાતમી મળી હતી કે 2255 નંબરની વ્હાઈટ સેન્ટ્રો કાર દૂર્ઘટનામાં મૃત જાહેર કરાયેલ અનિલસિંઘ ચૌધરી હાલમાં જીવિત છે અને તે અમદાવાદમાં રહે છે.

બાતમી મુજબ તે રાજકુમાર ચૌધરીના નામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ. નિકોલ ખાતે રહેતા આ આરોપીને 7 નવેમ્બરના રોજ ગંગોત્રી સર્કલ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી રાજકુમાર વિજયકુમાર ચૌધરીની પૂછપરછમાં જાણવા મળ્યુ કે તેનુ સાચુ નામ અનિલસિંઘ વિજયપાલ સિંઘ ચૌધરી છે.
જે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધનગરના ગામ ભટ્ટા પારસૌલનો રહેવાસી છે. તે વર્ષ 2006માં અમદાવાદ આવ્યો હતો અને પહેલા પોતાનુ રાજકુમાર નામનુ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવ્યુ હતુ. જેના આધારે તેણે આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ મેળવી લીધા હતા.
જેના આધારે તેણે પહેલા લોન પર રીક્ષા લીધી અને ત્યારબાદ ફોરવ્હીલર ગાડી ખરીદી ચલાવવા લાગ્યો. વળી, તેણે પડોશમાં રહેતી મહિલા સાથે લગ્ન કરી લીધા અને પોતાની પત્નીથી પણ બધી હકીકત છૂપાવી હતી. આરોપીએ છેલ્લા 17 વર્ષથી તેના પરિવારના કોઈ પણ સભ્ય સાથે ફોનથી વાત કરી નથી. તેને પોતાના પરિવાર સાથે મળવુ હોય તો તે પોતે દિલ્લી અથવા સુરત ખાતે મળતા.
તમને જણાવી દઈએ કે આરોપીએ પોતાના પિતા સાથે મળી સમગ્ર પ્લાન બનાવ્યો હતો. જેમાં ઘટનાના બે વર્ષ પહેલાથી આરોપી અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરીના નામનો અકસ્માતનો વીમો લીધો અને પ્લાનના ભાગ રુપે ઘટનાના છ મહિના પહેલા એક સેન્ટ્રો ગાડી ખરીદી હતી. ગાડીનો પણ વીમો લઈ લીધો.
આરોપીએ ઘનકોરથી ગાઝિયાબાદ ટ્રેનમાં ભીખ માંગતા એક ભિખારીને સારી હોટલમાં જમાડવાની વાત કરીને તેને ગાડીમાં બેસાડ્યો અને એક સામાન્ય હોટલમાં જમતી વખતે ઘેનની દવા નાખી દીધી. બેભાન ભિખારીને સાથે લઈ જઈ રાતે એક વાગ્યાના સમયે કારનો એક થાંભલા સાથે અકસ્માત કરી દીધો અને ભિક્ષુકને બેસાડી કાર સળગાવી દીધી અને આરોપી પોતે અમદાવાદ આવી ગયો.
આરોપીના પિતા, તેનો ભાઈ અને અન્ય આરોપીઓ ઘટના સ્થળ છોડીને પોતાના ગામ પાછા જતા રહ્યા. પોલીસ તપાસમાં આરોપીના પિતાનો સંપર્ક કરતા તેમણે મૃતદેહ જોઈને પોતાના દીકરાનુ હોવાનુ જણાવી ભીખારીની ડેડબૉડી લઈ જઈ અંતિમ વિધિ કરી દીધી હતી અને બાદમાં વીમાની રકમનો ક્લેઈમ કરી વીમાની માતબર રકમ તેમજ કારના વીમાની રકમ મેળવી તે વહેંચી લીધી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
