ભિખારીને કારમાં બેસાડી સળગાવી 80 લાખનો વીમો મેળવ્યો, પોતાના મરણનો જ કારસો રચનાર આરોપી ઝડપાયો
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં વર્ષ 2006માં એક કાર અકસ્માતમાં બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાં તેનો કાર ચાલક મૃત્યુ પામ્યો હતો. જેની ઓળખ અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરી તરીકે થઈ હતી. મૃતકના પિતાએ મૃતદેહ સ્વીકારીને અંતિમ વિધિ કરી વીમાની રકમ મેળવી લીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ એસ ત્રિવેદીને બાતમી મળી હતી કે 2255 નંબરની વ્હાઈટ સેન્ટ્રો કાર દૂર્ઘટનામાં મૃત જાહેર કરાયેલ અનિલસિંઘ ચૌધરી હાલમાં જીવિત છે અને તે અમદાવાદમાં રહે છે.

બાતમી મુજબ તે રાજકુમાર ચૌધરીના નામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ. નિકોલ ખાતે રહેતા આ આરોપીને 7 નવેમ્બરના રોજ ગંગોત્રી સર્કલ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી રાજકુમાર વિજયકુમાર ચૌધરીની પૂછપરછમાં જાણવા મળ્યુ કે તેનુ સાચુ નામ અનિલસિંઘ વિજયપાલ સિંઘ ચૌધરી છે.
જે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધનગરના ગામ ભટ્ટા પારસૌલનો રહેવાસી છે. તે વર્ષ 2006માં અમદાવાદ આવ્યો હતો અને પહેલા પોતાનુ રાજકુમાર નામનુ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવ્યુ હતુ. જેના આધારે તેણે આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ મેળવી લીધા હતા.
જેના આધારે તેણે પહેલા લોન પર રીક્ષા લીધી અને ત્યારબાદ ફોરવ્હીલર ગાડી ખરીદી ચલાવવા લાગ્યો. વળી, તેણે પડોશમાં રહેતી મહિલા સાથે લગ્ન કરી લીધા અને પોતાની પત્નીથી પણ બધી હકીકત છૂપાવી હતી. આરોપીએ છેલ્લા 17 વર્ષથી તેના પરિવારના કોઈ પણ સભ્ય સાથે ફોનથી વાત કરી નથી. તેને પોતાના પરિવાર સાથે મળવુ હોય તો તે પોતે દિલ્લી અથવા સુરત ખાતે મળતા.
તમને જણાવી દઈએ કે આરોપીએ પોતાના પિતા સાથે મળી સમગ્ર પ્લાન બનાવ્યો હતો. જેમાં ઘટનાના બે વર્ષ પહેલાથી આરોપી અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરીના નામનો અકસ્માતનો વીમો લીધો અને પ્લાનના ભાગ રુપે ઘટનાના છ મહિના પહેલા એક સેન્ટ્રો ગાડી ખરીદી હતી. ગાડીનો પણ વીમો લઈ લીધો.
આરોપીએ ઘનકોરથી ગાઝિયાબાદ ટ્રેનમાં ભીખ માંગતા એક ભિખારીને સારી હોટલમાં જમાડવાની વાત કરીને તેને ગાડીમાં બેસાડ્યો અને એક સામાન્ય હોટલમાં જમતી વખતે ઘેનની દવા નાખી દીધી. બેભાન ભિખારીને સાથે લઈ જઈ રાતે એક વાગ્યાના સમયે કારનો એક થાંભલા સાથે અકસ્માત કરી દીધો અને ભિક્ષુકને બેસાડી કાર સળગાવી દીધી અને આરોપી પોતે અમદાવાદ આવી ગયો.
આરોપીના પિતા, તેનો ભાઈ અને અન્ય આરોપીઓ ઘટના સ્થળ છોડીને પોતાના ગામ પાછા જતા રહ્યા. પોલીસ તપાસમાં આરોપીના પિતાનો સંપર્ક કરતા તેમણે મૃતદેહ જોઈને પોતાના દીકરાનુ હોવાનુ જણાવી ભીખારીની ડેડબૉડી લઈ જઈ અંતિમ વિધિ કરી દીધી હતી અને બાદમાં વીમાની રકમનો ક્લેઈમ કરી વીમાની માતબર રકમ તેમજ કારના વીમાની રકમ મેળવી તે વહેંચી લીધી હતી.
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
