Ahmedabad: અમદાવાદ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, મળશે આટલી બધી સુવિધાઓ
Ahmedabad: અમદાવાદ સ્થિત દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફ્રાકોન (DRA ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ) ને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) સાથેના સંયુક્ત સાહસમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ એન્જીનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) મોડ દ્વારા ચલાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ વર્ષે જૂનમાં ટેન્ડર મંગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. છ કંપનીઓએ તેમની બિડ રજૂ કરી હતી. એલ એન્ડ ટીના રૂપિયા 3,447 કરોડની બોલી સૌથી વધુ હતી.

અન્ય ચાર કંપનીઓએ રૂપિયા 3,000 કરોડની બિડ દરેકે, જ્યારે એક કંપની એનસીસીએ રૂપિયા 2,786 કરોડની બોલી લગાવી હતી. સૌથી ઓછી બોલી રૂપિયા 2,563 કરોડ અમદાવાદ સ્થિત ડીઆરએ ઇન્ફ્રાકોન દ્વારા હતા.
આ અગાઉના પ્રસંગે આ વર્ષે મે મહિનામાં જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે સૌથી ઓછી બોલી Afcons ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રૂપિયા 5,355 કરોડ લગાવવામાં આવી હતી. અંદાજિત બિડ કરતાં વધુ હોવાને કારણે આ વર્ષે જૂનમાં રિટેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા 3 વર્ષની છે.












Click it and Unblock the Notifications
