અમદાવાદઃ સેનિટાઈઝરની ફેક્ટરીમાં આગ, 10 ટન આલ્કોહોલ ખાખ
ગુજરાતમાં અમદાવાદના મોરૈયા ગામ પાસે સ્થિત સેનિટાઈઝર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદના મોરૈયા ગામ પાસે સ્થિત સેનિટાઈઝર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આ આગથી કોઈ જાનહાનિ તો નથી થઈ પરંતુ અંદર રહેલો 10 ટ આલ્કોહોલનો જથ્થો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આ દૂર્ઘટના સેનિટાઈઝર બનાવતી આર્મેડ ફોર્મેશન નામની ફેક્ટરીમાં થઈ. ફેક્ટરીના માલિક જ્યોતિ કુમાર અગ્રવાલે જણાવ્યુ કે આગથી લાખોનુ નુકશાન થયુ છે.

આગને ઓલવવા માટે દૂર-દૂરથી ફાયર બ્રિગેડની ગાડીઓ આવી. લગભગ 13 ગાડીઓએ આગને કાબુમાં લીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ આગ પર ફાયર બ્રિગેડની 13 ગાડીઓએ ત્રણ કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો. આગ લાગતા જ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા જેનાથી જાનહાનિ ટળી ગઈ. પરંતુ લાખોનો માલ ખાખ થઈ ગયો.
ફેક્ટરીના માલિક જ્યોતિ કુમાર અગ્રવાલના જણાવ્યા મુજબ આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે પોતાન થયેલા નુકશાન વિશે જ્યોતિ કુમારે જણાવ્યુ કે ફેક્ટરીમાં 10 ટન આલ્કોહોલનો સંગ્રહ હતો. જો કે હજુ જાણી શકાયુ નથી કે કેટલો આલ્કોહોલ આગની ચપેટમાં આવ્યો. આગ પર કાબુ મેળવવા માટે કમસે કમ બે લાખ લીટર પાણી વાપરવામાં આવ્યુ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
