અમદાવાદઃ સેનિટાઈઝરની ફેક્ટરીમાં આગ, 10 ટન આલ્કોહોલ ખાખ
ગુજરાતમાં અમદાવાદના મોરૈયા ગામ પાસે સ્થિત સેનિટાઈઝર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદના મોરૈયા ગામ પાસે સ્થિત સેનિટાઈઝર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આ આગથી કોઈ જાનહાનિ તો નથી થઈ પરંતુ અંદર રહેલો 10 ટ આલ્કોહોલનો જથ્થો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આ દૂર્ઘટના સેનિટાઈઝર બનાવતી આર્મેડ ફોર્મેશન નામની ફેક્ટરીમાં થઈ. ફેક્ટરીના માલિક જ્યોતિ કુમાર અગ્રવાલે જણાવ્યુ કે આગથી લાખોનુ નુકશાન થયુ છે.

આગને ઓલવવા માટે દૂર-દૂરથી ફાયર બ્રિગેડની ગાડીઓ આવી. લગભગ 13 ગાડીઓએ આગને કાબુમાં લીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ આગ પર ફાયર બ્રિગેડની 13 ગાડીઓએ ત્રણ કલાકની મહેનત બાદ કાબુ મેળવ્યો. આગ લાગતા જ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા જેનાથી જાનહાનિ ટળી ગઈ. પરંતુ લાખોનો માલ ખાખ થઈ ગયો.
ફેક્ટરીના માલિક જ્યોતિ કુમાર અગ્રવાલના જણાવ્યા મુજબ આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે પોતાન થયેલા નુકશાન વિશે જ્યોતિ કુમારે જણાવ્યુ કે ફેક્ટરીમાં 10 ટન આલ્કોહોલનો સંગ્રહ હતો. જો કે હજુ જાણી શકાયુ નથી કે કેટલો આલ્કોહોલ આગની ચપેટમાં આવ્યો. આગ પર કાબુ મેળવવા માટે કમસે કમ બે લાખ લીટર પાણી વાપરવામાં આવ્યુ.












Click it and Unblock the Notifications
