Ahmedabad: મસ્જિદોમાં લાઉડ સ્પીકરોથી થતી ખલેલ સામેની PIL ગુજરાત હાઈકોર્ટે ફગાવી
Ahmedabad: ગુજરાત હાઈકોર્ટ દ્વારા મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકર (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) ના ઉપયોગ સામેની જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેચે એક અરજદારને જણાવ્યું હતું કે, જો તેઓ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ વિરુદ્ધ કાર્યવાહી ન કરતા હોય, તો સત્તાવાળાઓનો સંપર્ક કરે.

ચીફ જસ્ટિસે અરજદારને જણાવ્યું હતું કે, ઓથોરિટી પાસે જાઓ, તમને કોણ રોકે છે. જ્યારે બાદમાં તેમણે ધ્યાન દોર્યું કે, પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ ફક્ત રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન જ બંધ જગ્યામાં થઈ શકે છે.
મુખ્ય ન્યાયાધીશે એક અરજીકર્તાને જણાવ્યું હતું કે, અઝાન માત્ર પાંચથી દસ મિનિટ ચાલે છે અને પૂજા, ભજન, ડીજે પણ અવાજ કરે છે.
તેમણે એક અરજદારને પૂછ્યું, તમારા મંદિરોમાં વહેલી સવારે આરતીનું સંગીત શરૂ થાય છે, શું તેનાથી કોઈને અવાજ નથી આવતો? શું તમે કહી શકો કે, એ ઘંટનો અવાજ મંદિરના પરિસરમાં જ રહે છે? શું તે બહાર ટપકતું નથી?
ગાંધીનગર સ્થિત તબીબે અરજી દાખલ કરી હતી. જ્યારે એક અરજદારે મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, ત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે, અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો અમને બંધનકર્તા નથી.
ચીફ જસ્ટિસે અરજદારને કહ્યું કે, ધ્વનિ પ્રદૂષણના મુદ્દે ચીફ જસ્ટિસે અરજીકર્તાને અઝાન સાથે કેટલા ડેસિબલ અવાજ થાય છે તેનો વૈજ્ઞાનિક રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું. અઝાનની દસ મિનિટમાં અવાજ અને પ્રદૂષણ કેટલા ડેસિબલ વધી જાય છે? તેને વૈજ્ઞાનિક રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવાની જરૂર છે. ચીફ જસ્ટિસે અરજીને સંપૂર્ણ રીતે ખોટી ગણાવી અને તેને ફગાવી દીધી છે.












Click it and Unblock the Notifications
