Ahmedabad rain : અમદાવાદમાં સાબરમતિ નદી ઉફાન પર, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
Ahmedabad rain : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે સાબરમતિ નદી સતત ઉફાન પર જોવા મળી રહી છે. સતત પાણીની આવકને પગલે અમદાવાદમાં વાસણા બેરેજમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવ્યું છે.
હાલની સ્થિતીએ આશરે 20,645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના માટે બેરેજના 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે જળપ્રવાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

અન્ય જળાશયોમાંથી પણ પાણીનો નિકાલ થઈ રહ્યો છે. ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક અને સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા મેઈન કેનાલમાંથી પણ 6,977 ક્યુસેક પાણીનો નિકાલ થઈ રહ્યો છે.
આ નિર્ણયથી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
