Ahmedabad rain : અમદાવાદમાં સાબરમતિ નદી ઉફાન પર, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા

Ahmedabad rain : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે સાબરમતિ નદી સતત ઉફાન પર જોવા મળી રહી છે. સતત પાણીની આવકને પગલે અમદાવાદમાં વાસણા બેરેજમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવ્યું છે.

હાલની સ્થિતીએ આશરે 20,645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના માટે બેરેજના 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે જળપ્રવાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

Ahmedabad rain

અન્ય જળાશયોમાંથી પણ પાણીનો નિકાલ થઈ રહ્યો છે. ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક અને સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા મેઈન કેનાલમાંથી પણ 6,977 ક્યુસેક પાણીનો નિકાલ થઈ રહ્યો છે.

આ નિર્ણયથી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X