અમદાવાદ: રામભક્ત અર્જૂન ઠાકોરે બનાવી હિરા-મોતીમાંથી ભગવાન રામની છબી
અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા અર્જૂન ઠાકોર દ્વારા 17 હજારથી વધુ હીરા મોતી અને સ્ટોન અને બ્રોચ વર્ક કરીને શ્રી રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મનમોહક પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા અર્જૂન ઠાકોર આશરે 125 કલાકની મહેનત કરીને આ પ્રતિમા તૈયાર કરી છે. અર્જૂન ઠાકોરે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 25 દિવસ પહેલા હું રામધૂનમાં જોડાયો હતો, ત્યારે મે નક્કી કર્યું હતું કે, 22 તારીખે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્વ નિમિત્તે ભગવાન રામને અનોખી ભેટ આપીશ.

કલાકારે વધુમાં જણાવ્યું હતું કે, આ માટે મે 125 કલાક કરતા પણ વધુ મહેનત કરીને 17000 હિરા-મોતી અને સ્ટોન તેમજ બ્રોચ વર્ક કરી પ્રભૂ શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા તૈયાર કરી છે.
આ સાથે અર્જૂન ઠાકોરે જણાવ્યું હતું કે, જ્યારે ભગવાન શ્રી રામનો હુકમ થશે, ત્યારે તેઓ અયોધ્યા રામ મંદિરના દર્શનાર્થે જવા આતુર છે.
આ સાથે જો કોઇ રામ ભક્તને આવા ફોટો કે પ્રતિમા બનાવવા ઇચ્છા હોય તો તે બનાવી આપવાની તૈયારી અર્જૂન ઠાકોરે દર્શાવી છે.
17 હજાર જેટલા હીરા મોતી, સ્ટોન અને બ્રોચ વર્ક કરીને શ્રી રામની મનમોહક પ્રતિમા અમદાવાદમાં રહેતા અર્જુન ઠાકોરે તૈયાર કરી#jaishriram #ahmedabad #AyodhyaRamMandir #RamMandirPranPratishtha #AyodhyaRamTemple #RamJanmbhoomi #Ramlalla #RamMandirAyodhya #OneindiaGujarati pic.twitter.com/HsTeLNzcpZ
— oneindiagujarat (@oneindiagujarat) January 22, 2024












Click it and Unblock the Notifications
