Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બેંગકોક જનારા લોકો માટે ખુશ ખબર, અમદાવાદથી મળશે ડાયરેક્ટ ફ્લાઇટ

Ahmedabad to Bangkok flight: બેંગકોક અને તેના સુંદર ટાપુઓમાં રજાઓ માણવા વધુ ને વધુ આમદાવાદીઓ જઈ રહ્યા છે.

આ વધતી માંગને ધ્યાનમાં રાખીને થાઈ લાયન એર દ્વારા અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં 15 ઓગષ્ટથી અમદાવાદ એરપોર્ટ પરથી ડાયરેક્ટ ફ્લાઇટ 11:40 કલાકે મળશે, જે બીજા દિવસે વહેલી સવારે 5:25 કલાકે બેંગકોક પહોંચાડશે.

Ahmedabad to Bangkok flight

આ નવા વધારાથી અમદાવાદથી બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ્સની સાથે કુલ સંખ્યા વધીને પાંચ થઈ જશે. અહેવાલો અનુસાર, થાઈ લાયન એર જુલાઈના અંત સુધીમાં અમદાવાદથી બેંગકોકની તેની અઠવાડિયામાં ચાર દિવસની સીધી ફ્લાઈટ શરૂ કરશે.

હાલમાં અન્ય ચાર એરલાઇન્સ આ લોકપ્રિય રૂટ પર દરરોજ અથવા અઠવાડિયામાં ચાર-વાર ફ્લાઇટ્સ ચલાવે છે, જે તમામ દર અઠવાડિયે સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરે છે.

આ ઉપરાંત, અકાસા એરલાઇન્સ 20મી જુલાઈથી સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે તેની નવી સીધી ફ્લાઇટનું સંચાલન પણ શરૂ કરવા માટે તૈયાર છે. આ ફ્લાઈટ અઠવાડિયામાં બે વાર ઓપરેટ થશે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 17:40ની આસપાસ ઉપડશે અને લગભગ 20:30 કલાકે જેદ્દાહ પહોંચશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X