Ganesh utsav 2025 : અમદાવાદ પ્લેન ક્રેશના દિવંગતોને ગણપતિ પંડાલની અનોખી શ્રદ્ધાંજલિ
Ganesh utsav 2025 : અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઘી કાંટાની મોટી હમામ પોળમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૨મી માર્ચના રોજ મેઘાણીનગર વિસ્તારમાં થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાથી આખું વિશ્વ હચમચી ગયું હતું. આ કરૂણાંતિકામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.

દુર્ઘટના બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો, સામાજિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ્સ અને રાજકીય સંસ્થાઓએ રાહત અને બચાવ કાર્યમાં ખૂબ જ મદદ કરી હતી.
આ સેવાભાવી કાર્યને બિરદાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘી કાંટાની મોટી હમામ પોળમાં આ વર્ષે ગણેશોત્સવને એક ખાસ થીમ સાથે શણગારવામાં આવ્યો છે.
ગણેશ પંડાલમાં આરોગ્ય વિભાગ, મીડિયા, ફાયર, પોલીસ અને વહીવટી તંત્રની કામગીરીને દર્શાવવામાં આવી છે. અહીં દર્શનાર્થે આવતા ભક્તો મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પે છે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે પ્રાર્થના કરે છે. આ એક અનોખો અને પ્રશંસનીય પ્રયાસ છે.












Click it and Unblock the Notifications
