Gujarat Rain: વીજળી પડવાથી મૃત પામેલા લોકોને ગુજરાત સરકાર આપશે આર્થિક મદદ
Gujarat Rain: કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ઘણી જાનહાનિ થઇ છે. રાજ્ય સરકાર દ્વારા વીજળી પડવાના કારણે મોત થવાના કિસ્સામાં તપાસ બાદ આર્થિક સહાય આપવાની તૈયારી શરૂ કરી દેવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે.
પોતાના જાપાન પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના અધિકારીઓ સાથે આ અંગે સંબંધમાં જાણકારી મેળવવા માટે આદેશ આપ્યા છે. રવિવારના રોજ રાજ્યમાં વીજળી પડવાના કારણે 24 લોકોના મોત થયા છે.

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ હતો. જુદા જુદા વિસ્તારોમાં મુશળધાર વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓમાં 24 લોકોના મોત થયા છે. આ દરમિયાન 23 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે.
એક તરફ ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ વીજળી પડવાથી મૃત્યુ થતાં ખેડૂત પરિવારો નિરાધાર બન્યા છે.
મળતી માહિતી મુજબ, દાહોદમાં વીજળી પડવાથી 4, ભરૂચ અને બનાસકાંઠામાં 3-3, તાપીમાં 2, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, તાપી, ખેડા, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા અને સુરતમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
71 પશુઓ પણ મૃત્યુ પામ્યા - રાજ્યમાં વીજળી પડવાથી 71 પશુઓના પણ મોત થયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, આણંદ, પાટણ, પંચમહાલ, બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1, દાહોદમાં 3, ભરૂચ, સુરત, તાપીના સોનગઢમાં 2-2 પશુઓના મોત થયા છે. જ્યારે ખેડામાં સૌથી વધુ 15 પશુઓના મોત થયા છે.
રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર - રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને સહાયની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં શનિવારના રોજ કમોસમી વરસાદના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારોમાં જીરુંનું બમ્પર વાવેતર થયું છે. વરસાદથી જીરાના પાકને નુકસાન થયું છે. લવિંગજી ઠાકોરે તેમના પત્રમાં રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ખેતીને થયેલા વ્યાપક નુકસાનની માહિતી આપી છે.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
