શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને રાખવા માટે લાયસન્સ ફરજિયાત, 5થી 20 હજારનો દંડ
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે.
અમદાવાદઃ હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31 માર્ચના રોજ વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. આ બિલની જોગવાઈ મુજબ કાયદો અમલામાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને કારણે સર્જાતા અનેક અકસ્માતો અને નિર્દોષોને જીવ ગુમાવવા પડતા હોવાથી આ સમસ્યાના ઉકેલ માટે હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝાટકી હતી. જે બાદ સરકાર સક્રિય બનતા હવે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બિલ મુજબ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાયસન્સ લેવુ પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવુ પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની જેલ કે ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ પણ આકરા દંડ અને સજાની જોગવાઈઓ કરવામાં આવી છે.
પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ મેળવવુ પડશે. લાયસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાનુ રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાયસન્સ ઈન્સ્પેક્ટર નિયુક્ત કરશે. ટેગ સાથે ઢોર પકડાવાના કિસ્સામાં પહેલી વાર 5 હજાર, બીજી વાર 10 હજાર અને ત્રીજી વાર 15 હજારનો દંડ વસૂલાશે અને ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલી પછી ઢોર માલિકને પાછુ અપાશે. ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી વાર આવા ગુનામાં પકડાનારને બે વર્ષ સુધી કેદ અથવા 1થી 5 લાખ સુધીનો દંડ થશે.
બિલ મુજબ હવેથી શહેરી વિસ્તારમાં ગમે ત્યાં ઘાસનુ વેચાણ થઈ શકશે નહિ. સત્તા મંડળ દ્વારા નક્કી કરાયેલ શહેરી ગોચર વિસ્તારોમાં જ ઘાસનુ વેચાણ થઈ શકશે. બિલની જોગવાઈ મુજબ જો પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનુ વેચાણ થાય તો પહેલી વાર 10થી 50 હજાર સુધીનો દંડ અને બીજી વારમાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થશે. બિલમાં ઢોરના મૃતદેહના નિકાલ માટે પણ સૂચના આપવામાં આવી છે. મહાપાલિકા દ્વારા ઢોરના મૃતદેહનો બાળવા કે દફનાવવા માટે જગ્યા નિયત કરવાની રહેશે. મૃતદેહને બાળવા માટે સ્મશાનગૃહ(ઈન્સીનરેટર) નક્કી કરાશે. ઢોરના મૃતદેહના ઉપયોગ માટેનો પ્લાન્ટ ઉભો કરવા વિસ્તારો નિયત કરવામાં આવશે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
