Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને રાખવા માટે લાયસન્સ ફરજિયાત, 5થી 20 હજારનો દંડ

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે.

અમદાવાદઃ હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસ માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31 માર્ચના રોજ વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. આ બિલની જોગવાઈ મુજબ કાયદો અમલામાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે.

cow

તમને જણાવી દઈએ કે રાજ્યમાં શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને કારણે સર્જાતા અનેક અકસ્માતો અને નિર્દોષોને જીવ ગુમાવવા પડતા હોવાથી આ સમસ્યાના ઉકેલ માટે હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝાટકી હતી. જે બાદ સરકાર સક્રિય બનતા હવે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બિલ મુજબ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાયસન્સ લેવુ પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવુ પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની જેલ કે ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ પણ આકરા દંડ અને સજાની જોગવાઈઓ કરવામાં આવી છે.

પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ મેળવવુ પડશે. લાયસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાનુ રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાયસન્સ ઈન્સ્પેક્ટર નિયુક્ત કરશે. ટેગ સાથે ઢોર પકડાવાના કિસ્સામાં પહેલી વાર 5 હજાર, બીજી વાર 10 હજાર અને ત્રીજી વાર 15 હજારનો દંડ વસૂલાશે અને ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલી પછી ઢોર માલિકને પાછુ અપાશે. ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી વાર આવા ગુનામાં પકડાનારને બે વર્ષ સુધી કેદ અથવા 1થી 5 લાખ સુધીનો દંડ થશે.

બિલ મુજબ હવેથી શહેરી વિસ્તારમાં ગમે ત્યાં ઘાસનુ વેચાણ થઈ શકશે નહિ. સત્તા મંડળ દ્વારા નક્કી કરાયેલ શહેરી ગોચર વિસ્તારોમાં જ ઘાસનુ વેચાણ થઈ શકશે. બિલની જોગવાઈ મુજબ જો પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનુ વેચાણ થાય તો પહેલી વાર 10થી 50 હજાર સુધીનો દંડ અને બીજી વારમાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થશે. બિલમાં ઢોરના મૃતદેહના નિકાલ માટે પણ સૂચના આપવામાં આવી છે. મહાપાલિકા દ્વારા ઢોરના મૃતદેહનો બાળવા કે દફનાવવા માટે જગ્યા નિયત કરવાની રહેશે. મૃતદેહને બાળવા માટે સ્મશાનગૃહ(ઈન્સીનરેટર) નક્કી કરાશે. ઢોરના મૃતદેહના ઉપયોગ માટેનો પ્લાન્ટ ઉભો કરવા વિસ્તારો નિયત કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X