Navratri 2025 : નવરાત્રિમાં SG હાઈવે પર હેવી વ્હીકલ્સને એન્ટ્રી નહીં, આટલા વાગ્યા પછી ખુલશે રોડ
અમદાવાદના એસજી (SG) હાઈવે પર નવરાત્રિ દરમિયાન રાત્રિના 2 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણય નવરાત્રિના તહેવારો દરમિયાન ટ્રાફિકનું સંચાલન સુચારુ રીતે થાય તે માટે લેવામાં આવ્યો છે.

એસજી હાઈવે પર આવેલા ત્રણ ક્લબ્સ, 10 થી વધુ પાર્ટી પ્લોટ અને ઘણા ફાર્મહાઉસમાં મોટા ગરબા આયોજિત થવાના છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી શકે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે પોલીસ વિભાગે આ પગલું ભર્યું છે.
સામાન્ય દિવસોમાં રાત્રિના 11 વાગ્યા સુધી અને સવારના 8 વાગ્યા સુધી ભારે વાહનોને એસજી હાઈવે પર પ્રવેશ મળતો નથી. પરંતુ નવરાત્રિના દિવસોમાં આ પ્રતિબંધ રાત્રિના 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કર્ણાવતી ક્લબ ક્રોસરોડ્સથી ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ્સ સુધીના 5.5 કિલોમીટરના માર્ગ પર ભારે ટ્રાફિક રહેવાની સંભાવના છે. આ ઉપરાંત કર્ણાવતી ક્લબથી સરખેજ તરફ જતા માર્ગ પર ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે એક તરફનો રસ્તો બંધ છે. બીજી તરફ પણ ખોદકામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી જાય છે.
આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા આ માર્ગ પર ટ્રાફિકનું સંચાલન કરવા માટે 2 ડીસીપી, 2 એસીપી, 7 પીએસઆઈ અને 500 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
