Sabarmati Riverfront : સાબરમતી રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બંધ કરાયો
Sabarmati Riverfront : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે. આ કારણોસર સાબરમતી રિવરફ્રન્ટનો નીચલો ભાગ શનિવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે.

ધરોઈ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી ડેમમાંથી ૨૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે ધરોઈ ડેમના કાર્યપાલક ઇજનેરે AMC કમિશનર અને મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદના કલેક્ટરને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રાખવા માટે સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.
જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રે ૮ વાગ્યે ધરોઈ ડેમનું જળસ્તર ૬૧૮.૪૮ ફૂટ હતું અને સતત પાણીની આવકને કારણે તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમની આપત્તિ વ્યવસ્થાપન યોજના (ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન) સક્રિય કરવા સૂચના આપવામાં આવી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
