Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarmati Riverfront : સાબરમતી રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બંધ કરાયો

Sabarmati Riverfront : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે. આ કારણોસર સાબરમતી રિવરફ્રન્ટનો નીચલો ભાગ શનિવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે.

Sabarmati Riverfront

ધરોઈ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી ડેમમાંથી ૨૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે ધરોઈ ડેમના કાર્યપાલક ઇજનેરે AMC કમિશનર અને મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદના કલેક્ટરને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રાખવા માટે સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રે ૮ વાગ્યે ધરોઈ ડેમનું જળસ્તર ૬૧૮.૪૮ ફૂટ હતું અને સતત પાણીની આવકને કારણે તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમની આપત્તિ વ્યવસ્થાપન યોજના (ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન) સક્રિય કરવા સૂચના આપવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X