બોડીગાર્ડ ખોલ્યું રહસ્ય: કોન્ડોમને કોડવર્ડમાં 'વસ્તુ' કહેતા હતા નારાયણ સાંઇ
શાહજહાંપુર, 1 નવેમ્બર: કુકર્મનું કિર્તન કરી પાખંડનું પ્રવચન કરનાર આસારામ બાપુની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ લેતી જ નથી. તેમના સમર્થક તેમને જેલની બહાર નિકળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે પરંતુ તેમના દાવ અવળા પડે છે. જાતિય સતામણીનો ભોગ બનનાર પીડિતાની ઇચ્છાનુસાર જન્મતારીખનું પ્રમાણપત્ર ન આપનાર અને જોધપુર પોલીસને ઓરિજનલ જન્મતારીખનું પ્રમાણપત્ર જાહેર કરવાથી ચર્ચામાં આવેલા પીડિતાના પૂર્વ સ્કૂલના આચાર્યને સમાચારના બંડલામાં બાંધેલા બે ધમકીભર્યા પત્ર મળ્યા છે.
આટલું જ નહી ધમકીભર્યા પત્રને સાથે 315 બોરની એક કારતૂસ પણ મળી છે. પત્રમાં આચાર્યની જિંદગીના ફક્ત આઠ દિવસ બાકી હોવાનું બતાવતાં આટલા દિવસ જીવી લેવાનું કહેવામાં આવ્યું છે. પત્રમાં પીડિતાના ટીસીનો ઉલ્લેખ થતાં આચાર્યને આસારામ સમર્થકો પર શક છે. તેમની ફરિયાદના આધારે પોલીસે અજ્ઞાત લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સુરક્ષાની દ્રષ્ટિએ સ્કૂલમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે સવારે લગભગ 6 વાગે કોઇ વ્યક્તિએ બે સમાચાર પત્રોને પ્લાસ્ટીકની સુતળીથી બાંધીને સ્કૂલની અંદર ફેક્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય સ્કૂલના પ્રાંગણમાં જ રહે છે એટલા માટે તેમને જ બંડલ ઉપાડ્યું. સમાચારમાં સફેદ કાગળના મોટા પરબિડીયાઓ જોવા મળ્યા. પરબિડિયા પર તેમનું નામ લખ્યું હતું. પરબિડીયાની અંદર લાલ અને લીલા રંગની શાહીથી લખેલા બે પત્રો મળ્યા. એક પરબિડીયામાં 315 બોરનો જીવતો કારતૂસ પણ નિકળ્યો. બંને પત્રોની એકબીજાથી અલગ છે. એક પત્ર લીલી તો બીજો પત્ર લાલ પેનથી લખવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે પ્રિન્સિપલ... તારું મોત એકદમ નજીક છે, તે છોકરીને જન્મપત્ર બનાવીને મોતને આમંત્રણ આપ્યું છે. તારી જીંદગીના ફક્ત આઠ દિવસ બચ્યા છે. ફક્ત આઠ દિવસ જીવી લે. નીચે મોકલનારનું નામની જગ્યાએ 'તારું મોત' લખ્યું છે.












Click it and Unblock the Notifications
