1 july Covid Update : દેશમાં 11,793 કેસ અને 27 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 547 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 419 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
1 july Covid Update : ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 547 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 419 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ જિલ્લામાં નોંધાયા આટલા કેસ
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 227, સુરતમાં 93 કેસ, વડોદરામાં 49 કેસ,વલસાડ અને ગાંધીનગરમાં 22-22 કેસ, રાજકોટમાં 19 કેસ, મહેસાણા અને નવસારીમાં 18-18 કેસ, જામનગર, કચ્છ અને ભરૂચમાં 15-15કેસ, આણંદમાં 10 કેસ, ભાવનગરમાં 9 કેસ નોંધાયા છે. મોરબી અને પાટણમાં 5-5 કેસ અને બનાસકાંઠામાં 2 કેસ નોંધાયા છે. બોટાદ, ખેડાઅને ખેડામાં એક-એક કેસ નોંધાયો હતો.
કુલ 11,14,31,849 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,18,042 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3042 થઇ છે. જેમાંથી 5ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર98.86 ટકા છે.
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 70,872 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,14,31,849કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
1 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 222 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે. આ સાથે શહેરી વિસ્તારમાં 184 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.
જો રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 4336 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1416 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝલીધો છે.
1 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 15 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 4 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથેશહેરી વિસ્તારમાં 15 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.
જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 3128 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1807 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
1 july ની ભારત કોરોના અપડેટ
શુક્રવારના રોજ અપડેટ કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં 17,070 નવા કોરોનાવાયરસના સંક્રમણના પોઝિટિવકેસનો ઉમેરો કરીને કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,34,69,234 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,07,189 થઈ ગયા છે.
સવારે 8વાગ્યે અપડેટ કરાયેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, 23 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,25,139 પર પહોંચી ગયો છે.
સક્રિય કેસોમાંકુલ સંક્રમણના 0.25 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.55 ટકા હતો, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
મૃત્યુની સંખ્યા લગભગ 8,500 ની સરખામણીએ એક અઠવાડિયા પહેલા સમાન રહી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે 4.1 મિલિયનથી વધુ કેસ નોંધાયા સાથે છેલ્લા અઠવાડિયામાં નવા કોરોનાવાયરસ કેસોની સંખ્યામાં 18 ટકાનો વધારો થયો છે.
યુએનની આરોગ્ય એજન્સીએ રોગચાળા અંગેના તેના તાજેતરના સાપ્તાહિકઅહેવાલમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં મૃત્યુની સંખ્યા લગભગ 8,500 ની સરખામણીએ એક અઠવાડિયા પહેલા સમાન રહી હતી.કોવિડ-સંબંધિત મૃત્યુ ત્રણ પ્રદેશો મધ્ય પૂર્વ, દક્ષિણપૂર્વ એશિયા અને અમેરિકામાં વધ્યા છે.
દેશમાં 130 દિવસના અંતરાલ પછી 18,000 થી વધુ કેસ નોંધાયા
ભારતમાં કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે, દેશમાં 130 દિવસના અંતરાલ પછી 18,000 થી વધુ કેસ નોંધાયા છે, જે સંચિત આંકડો4,34,52,164 પર લઈ ગયો છે.
ગુરુવારનાર રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર બે અઠવાડિયાપહેલાના સરેરાશ કરતાં કેસોમાં 78 ટકાનો વધારો થયો છે અને મૃત્યુમાં પણ 119 ટકાનો વધારો થયો છે. દેશમાં સક્રિય કેસ પણ 122દિવસના અંતરાલ પછી ગુરુવારના રોજ એક લાખના આંકને વટાવી ગયા હતા.
24 કલાકના ગાળામાં કુલ 18,819 નવા કોવિડ કેસ નોંધાયાછે, જ્યારે 39 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,25,116 પર પહોંચી ગયો છે.