નલ સે જલ’ દ્વારા છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની સરકારની નેમ

વડાપ્રધાનના 'નલ સે જલ' યોજના હેઠળ ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૬૩૧ ગામ અને ૭૬૮ ફળીયા મળી કુલ ૧૩૯૯ વસાહતો આવેલી છે. જે પૈકી નલ સે જલ યોજના અંતર્ગત ૧૨૧૭ વસાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ૧૮૨ વસાહતોની આ યોજના પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત કુલ ૧૨૧૭ વસાહતો પૈકી ૯૯૦ વસાહતોમાં યોજના કાર્યરત છે.

Bhupendra patel
આ સિવાય ૯૫ વસાહતોની યોજનાઓ ઓપરેટરના કારણે, ૯૩ વસાહતો વીજ જોડાણના કારણે,
૯ વસાહતોમાં જુથ યોજના પાણી અનિયમીત મળવાને કારણે, ૩૦ વસાહતોમાં પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે કાર્યરત નથી. જ્યારે બાકી રહેતી ૧૮૨ વસાહતોમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે જે બનતી ત્વરાએ પૂર્ણ કરાશે. મોટાભાગની કામગીરી જે તે ગ્રામ પંચાયતની પાણી સમિતિ દ્વારા જ કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના ૮૭ ગામ અને ૧૧૬ ફળીયા એમ કુલ ૨૦૩ વસાહતો પૈકી ૧૦૪ વસાહતોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે. જયારે ઓપરેટરના કારણે ૪૯ વસાહતો, વીજ જોડાણના કારણે ૧૦ વસાહતો, પંપીંગ મશીનરીના કારણે ૭ વસાહતો, પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે ૧૫ વસાહતો અને પાઈપ લાઈનના કારણે ૧૮ વસાહતોમાં આ યોજના કાર્યરત નથી તેમ, બોર્ડની યાદીમાં જણાવાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X