ગુજરાતમાં સરકારની મહેરબાનીથી થયું 2000 કરોડનું જમીન કૌભાંડઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં સરકારની મહેરબાનીથી થયું 2000 કરોડનું જમીન કૌભાંડઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભષ્ટાચારનું ષડયંત્ર ભાજપ સરકાર ધ્વારા ચાલી રહ્યું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આ અંગે મિડીયા સમક્ષ એક જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
ખેડૂત ન હોય તે ખેતીની જમીન ખરીદી ના શકે તેવો કાયદો અગાઉ કેન્દ્ર સરકારે બનાવેલ છે. ખેડૂતોને ખેતીની આવક ઇન્કમટેક્ષના કાયદામાંથી મુક્તિને પાત્ર છે. જેના કારણે, ખોટા ખેડૂતો બનીને ઇન્કમટેક્ષના કાયદાની ખેડૂતો માટેની જોગવાઈનો દુરપયોગ ન થાય તે માટે પણ બિન ખેડૂત ખેતીની જમીન ન ખરીદી શકે તે કાયદો જરૂરી છે.
અમદાવાદના એક બિલ્ડરે સદંતર ખોટું પેઢીનામું ઉભું કરીને ખેડૂતના ખોટા વારસદાર તરીકે પોતાની ખોટી ઓળખ બતાવીને ખેડૂત તરીકે દાખલ થઈ ગયા હતા. વારસાઈ એન્ટ્રી મંજુર થાય તે પહેલા ખેડૂત પ્રમાણપત્ર મેળવી બિેલ્ડરે ૨૦૦૦ કરોડની મિલકતો ખરીદી હોવાનો આક્ષેપ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. ખોટું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ચકાસણીમાં એન્ટ્રી રદ થાય તે પહેલા બિલ્ડરે જમીનમાંથી પોતાનો હિસ્સો ઉઠાવી લીધો હતો. આમ કરવાથી ખોટું ખેડૂત પ્રમાણપત્ર પકડાય જ નહીં.

૨૦૦૦ કરોડની જમીન ખરીદી કૌભાંડમાં રાજકીય મોટા માથા
આ અંગે કૉંગ્રેસ પાર્ટીએ યોગ્ય કાર્યવાહીની માંગણી કરી. કલેકટરના હુકમ પછી પણ પોલીસ કેસ નહીં થવાના અને જમીન ખાલસા નહીં થવાના કૌભાંડ માટે નામદાર હાઈકોર્ટના જજ સાહેબની દેખરેખ નીચે તપાસ કરવામાં આવે. તાત્કાલિક FIR દર્જ કરવામાં આવે અને બિલ્ડરે ખોટા ખેડૂત બનેલાઓની જમીન ખાલસા કરી ખેત મજૂરોને આપી દેવામાં આવે. ૨૦૦૦ કરોડની જમીન ખરીદી કૌભાંડમાં રાજકીય મોટા માથા કે મોટા સનદી અધિકારીનું કાળુંનાણું રોકાયેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે.

કેન્દ્રીય કાયદો
બિનખેડૂત ખેડૂત ન જ બની શકે તેવો કેન્દ્રીય કાયદો હોવા છતાં આ કાયદાની જોગવાઈ થી વિરુધ્ધ જે કંઈ પરિપત્રો કે પત્ર વ્યવહારો થયા હોય તે અલ્ટ્રાવાઇરસ ગણાય અને તે તાત્કાલિક રદ થવા જોઈએ.

કડક કાર્યવાહી કરવામાં આવે
ગુજરાતના તમામ કલેકટરશ્રીઓ આ પ્રકારના કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરે અને જો તે ચૂક કરેતો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે?







Click it and Unblock the Notifications
