28 June Covid Update : દેશમાં 11,793 કેસ અને 27 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 11,793 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,34,18,839 થઈ ગઈ છે.
28 June Covid Update : ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 351 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 248 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 157, સુરતમાં 79 કેસ, વડોદરામાં 31 કેસ, ગાંધીનગરમાં 17, વલસાડમાં 11 કેસ, જામનગરમાં 14, રાજકોટમાં 5, ભરૂચ અને પાટણમાં 4-4 કેસ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, કચ્છ અને મહેસાણામાં 2-2 કેસ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો હતો.
કુલ 11,12,50,038 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,16,967 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા2566 થઇ છે. જેમાંથી તમામની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.90 ટકા છે.
આ સાથે છેલ્લા 24 કલાકદરમિયાન 34,231 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,12,50,038 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
28 June ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 155 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે શહેરી વિસ્તારમાં 96 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 4851 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 798 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
28 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 4 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથેશહેરી વિસ્તારમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાં 4 રિકવરી નોંધાઇ હતી.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 954અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 951 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
28 June ની ભારત કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 11,793 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા4,34,18,839 થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંગળવારના રોજ અપડેટ કરાયેલા ડેટા અનુસાર, સક્રિય કેસ વધીને 96,700 થઈગયા છે. ભારતમાં 27 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,25,047 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.21 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ98.58 ટકા હતો.