જાસૂસી કેસમાં 3ને આજીવન કેદની સજા, આરોપીઓ પૈસા માટે 'અંડા' અને આર્મી માટે 'મામુ' કોડવર્ડ વાપરતા
અમદાવાદઃ શહેરની એક સેશન્સ કોર્ટે સોમવારે ત્રણ લોકોને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા બદલ દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી છે અને કહ્યુ કે તેઓ દયાને પાત્ર નથી.
કોર્ટે ટિપ્પણી કરી કે પાકિસ્તાન તરફી લોકોએ ત્યાંથી સ્વેચ્છાથી દેશ છોડીને જતા રહેવુ જોઈએ અથવા સરકારે તેમને શોધીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. કોર્ટે કહ્યુ કે દેશ વિરોધી ગતિવિધિમાં સામેલ લોકો જો દેશમાં રહેશે તો ઘણુ નુકશાન થશે.

અધિક સેશન્સ જજ, અંબાલાલ પટેલે, મૃત્યુદંડની સજા માટે ફરિયાદ પક્ષની અપીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ત્રણેય દ્વારા કરવામાં આવેલો ગુનો "રેરેસ્ટ ઓફ રેર" કેટેગરીમાં આવતો નથી.
કોર્ટે અવલોકન કર્યુ કે ત્રણેયને ભારતમાં નોકરી મળી હતી પરંતુ તેમનો પ્રેમ અને દેશભક્તિ પાકિસ્તાન માટે હતો. ભારતમાં બેસીને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર વ્યક્તિએ ભારતના નાગરિક તરીકે સ્વેચ્છાએ દેશ છોડી દેવો જોઈએ.
કોર્ટે સિરાજુદ્દીન અલી ફકીર (24), મોહમ્મદ અયુબ (23) અને નૌશાદ અલી (23)ને ભારતીય દંડ સંહિતા (આઈપીસી), સત્તાવાર રહસ્ય અધિનિયમ અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ હેઠળ 2012ના કેસમાં ગુનાહિત ષડયંત્ર અને દેશ વિરુદ્ધ યુદ્ધ ચલાવવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે.
ત્રણેયને આઈપીસીની કલમ 121, 121(એ)) અને 120 (બી) અને આઈટી એક્ટની કલમ 66 (એફ) હેઠળ આજીવન કેદની સજા, તેમજ ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 3 હેઠળ 14 વર્ષની સખત કેદની સજા અને આઈપીસીની કલમ 123 (યુદ્ધ કરવા માટે ડિઝાઇનને સરળ બનાવવાના હેતુથી છુપાવવું) હેઠળ 10 વર્ષોની જેલની સજા થઈ. બધી સજાઓ એકસાથે ચાલશે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 14 ઓક્ટોબર, 2012ના રોજ જમાલપુર વિસ્તારના રહેવાસી ફકીર અને અયુબની ધરપકડ કરી હતી, જેમની કથિત રીતે અમદાવાદમાં આર્મી બેઝ અને ગાંધીનગર આર્મી કેન્ટોન્મેન્ટને લગતી ગુપ્ત માહિતી આઈએસઆઈને આપવા બદલ ધરપકડ કરી હતી.
અન્ય આરોપી અને જોધપુરનો રહેવાસી નૌશાદ અલીને 2 નવેમ્બર, 2012ના રોજ જોધપુર આર્મી કેન્ટોનમેન્ટ અને બીએસએફ હેડક્વાર્ટર વિશે માહિતી આપવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો હતો.
જામનગર સ્થિત એક શંકાસ્પદ આઈએસઆઈ એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, પુરાવાના અભાવે ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી)ની કલમ 169 હેઠળ ફેબ્રુઆરી 2013માં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં તે આ કેસમાં મંજૂરી આપનાર બન્યો.
ચાર્જશીટ મુજબ, ફકીર, અયુબ અને અલીએ ડ્રાફ્ટમાં સંદેશાઓ સેવ કર્યા હતા જેથી પાકિસ્તાની અધિકારીઓ ઈમેલનો ઉપયોગ કરીને તેમને એક્સેસ કરી શકે. ફરિયાદ પક્ષે કહ્યું કે આરોપી ફકીર 2007માં પાકિસ્તાન ગયો હતો અને એક તૈમુરને મળ્યો હતો. અલી 2009માં પાડોશી દેશમાં આઈએસઆઈ એજન્ટોને મળ્યો હતો.
પોલીસને ફકીરના ઘરેથી અમદાવાદ સ્થિત આર્મી કેન્ટોનમેન્ટનો નક્શો મળ્યો હતો. કોર્ટે કહ્યુ કે ભારતીય નાગરિક હોવા છતાં ત્રણેય પાકિસ્તાનના ફાયદા વિશે વિચારે છે. જે વ્યક્તિ ભારતમાં બેસીને ભારતના નાગરિક તરીકે પાકિસ્તાન માટે જાસૂસી કરે છે તેણે સ્વેચ્છાએ દેશ છોડીને પાકિસ્તાન જવું જોઈએ અથવા સરકારે તેમને શોધીને પાકિસ્તાન મોકલવા જોઈએ તેમ કોર્ટે કહ્યુ.
કોર્ટે કહ્યુ કે તમામ આરોપીઓ ભારતના નાગરિક છે અને તેઓ ભારતમાં નોકરી મેળવતા હતા. પરંતુ દેશ પ્રત્યે પ્રેમ કે દેશભક્તિની લાગણીના બદલે, તેમને પાકિસ્તાન માટે પ્રેમ, લાગણી અને દેશભક્તિ છે, જેના પરિણામે તેઓએ સતત ત્રણ વર્ષ સુધી પાકિસ્તાનમાં ભારતીય સેનાની હિલચાલની ગુપ્ત માહિતી આઈએસઆઈને મોકલી અને દુબઈમાંથી લાખો રૂપિયા મેળવ્યા. ત્રણેયના કૃત્યથી ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન થયું છે અને એક નહીં પરંતુ સમગ્ર દેશ તેમના કૃત્યનો ભોગ બને છે જે ગુનાની ગંભીરતા વધારે છે.
જજે વધુમાં કહ્યુ કે, તેઓએ ભારતની 140 કરોડની સુરક્ષા વિશે નહીં પરંતુ તેમના પોતાના હિત અને પાકિસ્તાનના હિત વિશે વિચાર્યું. હું માનું છું કે દેશમાં રહીને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા લોકોને ઓછી સજા આપવી એ પણ દેશવિરોધી પ્રવૃત્તિ ગણવી જોઈએ.
દોષિતોએ ઈમેલ આઈડી બનાવ્યા હતા અને પાસવર્ડ પાકિસ્તાની એજન્ટો સાથે શેર કર્યા. તેઓ ગુપ્ત માહિતી કોડ લેંગ્વેજમાં લખતા અને ડ્રાફ્ટ તરીકે સેવ કરતા, જે બાદમાં પાકિસ્તાની એજન્ટો દ્વારા એક્સેસ કરવામાં આવતા. રેકોર્ડ મુજબ, પોલીસને જે પુરાવા મળ્યા છે તેમાં સફેદ કાગળની શીટ હતી જેના પર લખ્યું હતું, "ભાઈ મે ઠીક હું... 085 વાલે મામુ કે બચ્ચે વારમેર સે આ ગયે હૈ... હવાઈ વાલે મામુ કે બચ્ચે... 318 નયે ભરતી હુયે હે."
તપાસમાં જાણવા મળ્યું કે 'મામુ' લશ્કર માટે કોડવર્ડ હતો, '085' ગાંધીનગર લશ્કરી છાવણીની ઓળખ હતી, જ્યારે 'અંડા' (ઇંડા) નો અર્થ પૈસા હતો. તેમને દર મહિને કે બે મહિને રૂ. 5,000થી રૂ. 8,000 સુધીના પૈસા મળતા હતા. તેઓ દુબઈ જેવા સ્થળોએથી પૈસા મેળવતા હતા. પોલીસે જણાવ્યું કે આ જાસૂસી 2010થી 2012 દરમિયાન તેમની ધરપકડ સુધી ચાલી હતી.
ટ્રાયલ દરમિયાન, ચુકાદો જણાવે છે કે, "આરોપીઓ તેમના સંદેશને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા - 'પાંચ હજાર અંડે ભીજવા દેના'. એક પક્ષીના પાંચ હજાર ઈંડા પાકિસ્તાનથી લાવવામાં આવે તેવી વાત નહોતી." કોર્ટે અવલોકન કર્યુ કે આરોપીઓ તેમને મળેલા નાણાંનો સ્ત્રોત સમજાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી








Click it and Unblock the Notifications
