બિનઅનામત વર્ગની 313 મહિલાઓની સચિવાલય ગેટ પાસેથી અટકાયત!
બિનઅનામત વર્ગની 313 મહિલાઓ છેલ્લા 9 દિવસથી ગાંધીનગર ઉપવાસ પર બેઠી છે.
ગાંધીનગર : બિનઅનામત વર્ગની 313 મહિલાઓ છેલ્લા 9 દિવસથી ગાંધીનગર ઉપવાસ પર બેઠી છે. 2018ની LRD ની ભરતીમાં ચાલુ ભરતીમાં તારીખ 1/8/2018 નો Gr સરકારે ચાલુ ભરતીમાં રદ કરતા 313 બિનઅનામત વર્ગની મહિલાઓ અન્યાય થયો હોવાનું જણાવીને આંદોલન કરી રહી છે.

આ ભરતીમાં 1193 મહિલાઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયુ હતું, જેમાંથી માત્ર 880 મહિલાઓને જ ઓર્ડર આપ્યા હતા.બાકીની 313 મહિલાઓને સરકારે 4 વર્ષ થયાં છતાં ઓર્ડર આપ્યા નથી. મહિલાઓનો આરોપ છે કે સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી, તેમને ફક્ત આશ્વાસન મળી રહ્યા છે.
313 બિનઅનામત વર્ગની આ મહિલાઓનો આક્ષેપ છે કે સરકારે તેમની સાથે ચિટીંગ કર્યું છે. મહિલાઓએ કહ્યું કે, વિજય રૂપાણી CM હતા ત્યારે તેમણે અમારી સાથે મિટિંગ કરી હતી અન 2 મહિનામાં ઓર્ડર મળી જશે તેવુ કહ્યું હતું. પરંતુ એ વાતને 4 વર્ષ વીતી ગયા છે. ત્યાર બાદ CM ભુપેન્દ્ર પટેલ સાથે પણ 2 મહિના પહેલા મિટિંગ થઈ હતી તો અમને બાંહેધરી આપવામાં આવી હતી કે 15 દિવસનો સમય આપો અમે તમને 100 ટકા ઓર્ડર આપીશું. જો કે હજુ સુધી બિન અનામત વર્ગની 313 મહિલાઓને હજુ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવા છતાં ઓર્ડર મળ્યા નથી.












Click it and Unblock the Notifications
