અમદાવાદ શહેર અને જિલ્લામાં બે વર્ષમાં વિધવા સહાયની 45989 અરજીઓ મંજૂર કરાઇ
નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી બે વર્ષમાં ૪૫,૯૮૯ અરજીઓ મંજૂર કરાઇ છે.

રાજ્યની નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહમાં આ બાબતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર અમદાવાદ જિલ્લાનાં આંકડા આપ્યા.
તેમણે જણાવ્યું કે, આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન અમદાવાદ શહેરમાં કુલ ૩૦,૭૬૧ તેમજ અમદાવાદ જિલ્લામાં કુલ ૧૫,૩૪૩ મળી કુલ ૪૬,૧૦૪ અરજીઓ મળી હતી.
જે પૈકી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી કુલ ૪૫,૯૮૯ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે જરૂરી દસ્તાવેજ-પુરાવાના અભાવે બાકીની ૧૧૫ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
