આસારામ બાપુની પાંચ વિવાદવાણી
અમદાવાદ, 29 માર્ચઃ સંત આસારામ બાપુની જીભ એવા બાણ જેવી છે, જેમાંથી ક્યારે કયું તીર નિકળશે તે કહીં શકાય નહીં. હવે હોળી પર જ્યારે આખું મહારાષ્ટ્ર અને ગુજરાતના મોટા હિસ્સામાં દુકાળ જેવી સ્થિતિ છે, તો બીજી તરફ આસારામ બાપુ એવું કહેતા ફરે છે કે પાણીની બરબાદી કરવાથી તે પાછળ નહીં હટે, પાણી કોઇના બાપનું નથી.
આસારામના આ નિવેદનથી કોઇનું દીલ દુભાયું હોય કે ના હોય, પરંતુ એ લોકોનું દીલ જરૂરથી દુભાયુ હશે જે તેમને બાપુ કહીંને બોલાવતા હશે. એ લોકો જેમણે માત્ર પાણીની અછતના કારમે હોળી પર પોતાની ખુશીઓ કુરબાન કરી દીધી. આમ તો સાચુ કહીએ તો બાપુએ ઘણીવાર લોકોની ભાવનાઓ દુભાવી છે. જેમાંના પાંચ ચર્ચિત વિવાદાસ્પદ નિવેદન આ પ્રકારે છે.
1- પત્રકાર કુતરાં છે
8 જુલાઇ 2009એ પોતાની એક સભામાં સંત આસારામ બાપુએ કહ્યું કે, પત્રકાર કુતરાં છે અને હું તેમની આગળ ટૂકડાં નહીં ફેંકુ. એ સમયે તમામ ચેનલોમાં બાપુના આશ્રમોમાં કાળો જાદૂ થતો હોવાની ખબરો પ્રસારિત કરવામાં આવી રહી હતી. બાપુના આ નિવેદનથી મીડિયાને ઘણું દુખ પહોંચ્યું હતું.
2- ઓછી બુદ્ધિવાળો બબલુ છે રાહુલ ગાંધી
9 ઓક્ટોબર, 2011એ બાપુએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માટે કહ્યું કે તે ઓછી બુદ્ધિવાળો બબલુ છે. આ નિવેદન તેમણે દિલ્હીમાં યમુના કિનારે આયોજીત શરદ પૂર્ણિમા ધ્યાન શિબિરમાં આપ્યું. જેમાં દેશભરના કોંગ્રેસી કાર્યકર્તાઓ અને બબલુ નામના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.

7 જાન્યુઆરી, 2013એ આસારામ બાપુના આ દિવસથી આખા દેશની ભાવનાઓને ઠેસ પહોંચી, કારણ કે જે યુવતી માટે દેશના યુવાનો રસ્તાઓ પર લાઠીઓ ખાઇ રહ્યા હતા, જે યુવતી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી હતી, તેના માટે આવી વાત કરીને બળાત્કારીઓનો હોંસલો વધારવા જેવું છે.
4- હાથી ચાલે છે ત્યારે કુતરાં ભોંકતા રહે છે
8 જાન્યુઆરીએ આસારામ બાપુએ આ અંગે મીડિયા પર પોતાને બદનામ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે હાથી ચાલે છે ત્યારે કુતરાંઓ ભોંકે છે. તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર નથી.
5- પાણી કોઇના બાપનું નથી
27 માર્ચ 2013એ હોળીના દિવસે સંત આસારામ બાપુએ સુરતમાં હજારો લીટર પાણી બરબાદ કરી નાંખ્યું. જ્યારે લોકોએ તેમને હોળી રમવાની આ રીત સામે પ્રશ્નો ઉઠ્યાં તો તેમણે તેમની હોળી રમવાની રીતનો વિરોધ કરનારાઓ વિરુદ્ધ મનફાવે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો. બાપુએ કહ્યું કે, અમે કોઇ સરકાર કે સરકારના બાપનું પાણી નથી લેતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
