Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉત્તરાખંડના 'મેઘતાંડવ'માં 5000 ગુજરાતીઓ ફસાયા

ગાંધીનગર, 20 જૂન : પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં છેલ્લા 72 કલાકથી વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ મેઘતાંડવમાં હજારો લોકો હજી ફસાયા હોવાના સમાચાર છે જ્યારે 150થી વધારે લોકોના મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડમાં પાંચ હજારથી વધારે ગુજરાતી યાત્રાળુઓ ફસાયા છે. જેમાંથી કેટલાંકના મૃત્યુની ખરાઇ પણ કરવામાં આવી ચૂકી છે.

સ્થાનીય મીડિયા અહેવાલો અને સરકારી આંકડાઓ અનુસાર 70,000 જેટલા લોકો હજી પણ ઉત્તરાખંડમાં ફસાયેલા છે. તેઓ સંપૂર્ણરીતે સંપર્કવિહોણા થઇ ચૂક્યા છે. છેલ્લા બે દિવસમાં ટૂર એજન્સીઓ અને યાત્રામંડળો તરફથી મળી રહેલી બાતમી અને વિવિધ પરિવારો દ્વારા પોલીસમાં કરાયેલી જાણ અનુસાર જાણવા મળ્યું છે કે લગભગ 5,000 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડમાં, કેદારનાથમાં ફસાયેલા છે.

જોકે આ અંગેની જાણકારી આપી પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓનો સંપર્ક કરી તેમને સહીસલામત ગુજરાત લાવવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે તેના માટે એક સ્પેશિયલ આઇએએસની ટીમ પણ મોકલી છે. તેમજ હરિદ્વારના શાંતિકુંજમાં ગુજરાતીઓ માટે એક કેમ્પ ખોલવામાં આવશે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચંમોલી, રુદ્રપ્રયાગ, ગૌરીકુંડ, ગંગોત્રી તેમજ કેદારનાથ જેવા તીર્થધામોમાં પૂરનો ભારે પ્રકોપ સર્જાયો છે જેમાં હજારો ગુજરાતીઓ ફસાયા હોવાની જાણકારી મળી હતી. અત્યાર સુધી આ મેઘતાંડવમાં 7 ગુજરાતીઓના મોત થયાની ખરાઇ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે ફોન પર વાત કરીને તેમને પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું અને ત્યાં ફસાયેલા ગુજરાતીઓ અંગે પણ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઉત્તરાખંડ માટે 25 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ હેલિકોપ્ટરમાં બેસી ઉત્તરાખંડના પૂર પ્રભાવિત વિસ્તારોનું પરિક્ષણ કર્યું હતું. અને બાદમાં વડાપ્રધાને રાજ્ય માટે 1 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે આજે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે 5 કરોડની સહાયતા આપવાની જાહેરાત કરી છે.

uttarakhand

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં છેલ્લા 72 કલાકથી વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ મેઘતાંડવમાં હજારો લોકો હજી ફસાયા હોવાના સમાચાર છે જ્યારે 150થી વધારે લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

કેદારનાથમાં મંદિરને બાદ કરતા બધું જ પૂરમાં ધોવાઇ ગયું છે, હવે કેદારનાથને ફરી ઉભુ કરવામાં ત્રણ વર્ષ લાગશે.

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X