રાજકોટના જેતપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમો ઝડપાયા
રાજકોટના જેતપુરમાં સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટના જેતપુરમાં સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 12મા ધોરણમાં ભણતી સગીરા પર 6 શખ્શો દ્વારા અલગ અલગ જગ્યાએ બોલાવીને તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ. ઘટનાની વિગત એવી છે કે જેતપુરમાં રહેતી એક સગીરા સાથે ધવલ જયંતિભાઈ પારેખિયાએ મિત્રતા બાંધી હતી. છેલ્લા દોઢ મહિનાથી ધવલ અને અન્ય 6 નરાધમોના હાથે પિંખાઈ રહેલી આ સગીરા જ્યારે પોલિસ ફરિયાદ કરવા ગઈ ત્યારે તે નિરાશ થઈ હતી.
Recommended Video

રાજકોટના જેતપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમો ઝડપાયા

સગીરાએ ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી તેમજ રાજકોટ પોલિસ વડાને જ સીધી અરજી કરી દીધી હતી. આ અરજી બાદ હરકતમાં આવેલી પોલિસે તાત્કાલિક પગલાં લઈ ત્રણેય આરોપી ધવલ જયંતિલાલ પારેખિયા, પાર્થ દિલીપ છાતબાર અને ભાર્ગવ હિતેશ જોશીને પકડ્યા હતા. વળી, અન્ય ત્રણ આરોપીની શોધખોળ ચાલુ કરી છે.












Click it and Unblock the Notifications
