ગુજરાતને સુધારવા આ છે નરેન્દ્ર મોદીએ આપેલી 7 ટિપ્સ
ગાંધીનગર, 12 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રીમાંથી આગળ વધીને ભારતના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને ગુજરાતના વિકાસની ફિકર હરહંમેશ રહે છે. આ કારણે જ તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પર્સોનલ મેનેજમેન્ટમાં સુધાર માટે 7 સોનેરી ટિપ્સ આપી હતી. આ ટિપ્સનો અમલ આનંદી બેનની સરકારે 2 મહિનામાં અમલી કરી બતાવી છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતના પર્સોનલ મેનેજમેન્ટને આધુનિક, પારદર્શી, વૈજ્ઞાનિક, જવાબદાહી અને અસરદાર રીતે ચલાવવા માટે 7 પગલાં ભરવાનું જણાવ્યું હતું. આ સાત પગલાં કયા હશે તે તેમણે પોતાના મુખ્યમંત્રીકાળમાં જ નક્કી કરી દીધું હતું.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમના અનુગામી આનંદી બહેન પટેલે બે મહિનામાં જ તેની અમલવારી શરૂ કરી દીધી છે. આ અંગે બોલતા આજે ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના મુખ્ય સચિવ આઇએએસ અધિકારી કે શ્રીનિવાસે જણાવ્યું કે 'સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઇમ્પ્રુવમેન્ટ (સાથી - SATHI) એપ્લિકેશન (HRMS)ના લોન્ચ સાથે આ સાતે સોનેરી સલાહનું અમલીકરણ પૂર્ણ બન્યું છે.'
નરેન્દ્ર મોદીના ગુજરાત માટેના 7 સોનેરી સૂચનો આ મુજબ છે...
1
10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરી બહાર પાડવું
2
સિવિલ
સર્વિસીસ
એક્ઝામની
પેટર્ન
બદલવી
3
GPSCને મજબુત બનાવવી
4
પર્ફોર્મન્સ અપરાઇઝલ સિસ્ટમને સુધારવી
5
GUJSEVA પ્રિ રિક્રુટમેન્ટ એલિજિબલ ટેસ્ટ
6
આઇટી ક્ષેત્રની અલગ કેડર હોવી
7
હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં ગુજરાત મોડલ વિકસાવવું