76th Van Mohotsav : 76માં વન મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીએ ખેડાના ગળતેશ્વર મહાદેવના દર્શન કર્યા
76th Van Mohotsav : ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭૬મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યના ૨૪મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ થયું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને ગળતેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી.

મુખ્યમંત્રીએ ઠાસરા તાલુકાના સરનાલ ગામ ખાતે મહીસાગર અને ગળતી નદીના સંગમ પર આવેલા પૌરાણિક ગળતેશ્વર મંદિરના દર્શન અને પૂજન-અર્ચન કર્યા. તેમણે મંદિરની પરિક્રમા કરીને તેના સ્થાપત્યની પ્રશંસા કરી અને મહર્ષિ ગાલવ ઋષિના ઇતિહાસ વિશે માહિતી મેળવી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ અને વન સંરક્ષક મિતલબેન સાવંત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
