ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
જયેશ પટેલે કર્યું સરેન્ડર, વાપીમાં નગરપાલિકાના સભ્યની કારે કર્યો અકસ્માત જેમાં બે મોત થયા. આવા તમામ મહત્વના સમાચાર વિગતવાર વાંચો અહીં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની પળે પળની ખબર વાંચો અહીં.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
100 કરોડની જમીન પચાવી પાડનારો આરોપી ઝડપાયો
જામનગરમાં જાણીતા બિલ્ડર અમરીશ વિનોદરાય મહેતાની 100 કરોડની જમીન પચાવી પાડવાનો કેસ ચર્ચાનો મુદો બન્યો હતો. આ કેસમાં છેલ્લા 6 માસથી નાસતો ફરતો આરોપી જયેશ પટેલ આજે અચાનક નાટકીય ઢબે જામનગરમાં ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થતા ચકચાર મચી જવા પામી હતી. જયેશ પટેલ કોર્ટમાં પહોંચતાં કોર્ટ પરિસરમાં પોલીસકર્મી , મીડિયા કર્મીઓ અને વકીલોના ટોળા ઊમટી પડ્યા હતા. હાલ જામનગરની ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટે જયેશ પટેલની સરેન્ડરની અરજીના મંજૂર કરી પબ્લિક પ્રોસિક્યૂટર અને પોલીસની દલીલો માન્ય રાખી, આરોપી જયેશ પટેલને એલસીબી પોલીસના કસ્ટડીમાં રાખવા આદેશ આપી દીધો છે.
સાધુના વેશમાં ઢગતો એક વ્યક્તિ ઝડપાયો
મોરબીમાં એક વ્યક્તિ સાધુના વેશમાં સોનુ કરીનો ચમત્કાર બતાવીને લોકોને ઢગતો હતો. પોલીસે આ ઘટનામાં મોરબીથી તેને ઝડપ્યો હતો. તેમજ અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ અત્યાર સુધીમાં આશરે સાડા ત્રણથી 4 લાખથી છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય 3 આરોપીને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદની કરાઈ કેનાલમાં સેલ્ફી લેવા જતા 3 યુવાન ડૂબ્યા
અમદાવાદ કરાઇ કેનાલ પાસે શુક્રવાર સાંજે ત્રણ કિશોર કરાઇ કેનાલ પર સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે જ કિશોરોના પગ કેનાલમાં લપસી પડ્યા તે ડૂબી ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બે કિશોરની લાશ મળી આવી હતી. ઘટનામાં હજી પણ એક કિશોર લાપતા છે. મૃતકોમાં રિતિક દરજી અને રિકિન દરજી જે નાના ચિલોડા અને હાંસોલના રહેવાસી હતા તેમની લાશ મળી આવી છે.
વાપીમાં નગરપાલિકા સભ્યની કારે કર્યો અકસ્માત, 4 ના મોત
વાપીમાં નગરપાલિકાના સભ્ય આરતીબેનની કારે અકસ્માત સર્જયો હતો. જેમાં 2 બાઇક સવારના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ કારે અન્ય વાહનોને પણ ટક્કરે લેતા અન્ય 2 વ્યક્તિઓના પણ મોત થયા હતા. આ કાર સેલવાસથી વાપી તરફ જઈ રહી હતી તે સમયે ડ્રિવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્મતા સર્જાયો હતો. જોકે નગર પાલિકા સભ્યની કારમાંથી ડ્રાઇવર ફરાર થઈ જતાએ ખબર નથી પડી કે આ કાર કોણ ચલાવી રહ્યું હતુ. પોલીસ તથા સ્થાનિકોએ આ બાબતની જાણ થતા પોલીસ તથા લોકોના ટોળા ટોળા રાત્રે ઘટનાસ્થળે પોહંચ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. અકસ્માત કરીને ફરાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.
ભરૂચ પાસે લક્ઝરી બસને નડ્યો અકસ્માત, 4ના મોત
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કવી નજીક લક્ઝરી બસને અકસ્માત નડતા 4 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.મહારાષ્ટ્રની કવી જૈન દેરાસરના દર્શન કરવા આવેલી બસનો આ અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.