કેન્દ્ર સરકારે જીએસટી વળતરના ૯,૦૨૧ કરોડ ગુજરાતને ચુકવ્યા, મુખ્યમંત્રીએ આભાર માન્યો
જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઇ કરવામાં આવેલ હતી. આ માટે જીએસટી કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી.

આ એકટની જોગવાઇ મુજબ નાણાકીય વર્ષ 2015-16 ને બેઝ ઇયર ગણી તેમાં વાર્ષિક 14 ટકા લેખે વધારાને આધારે તા.૦૧-૦૭-૨૦૧૭થી તા.૩૦-૦૬-૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી.
આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે ₹૯૦૨૧ કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને ફાળવી આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને આ રકમ ફાળવવા અંગે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, જીએસટી અંતર્ગત એક ચોક્કસ હિસ્સો તમામ રાજ્યોને ફાળવવામાં આવે છે. જે હિસ્સો કેન્દ્રએ ગુજરાતને ફાળવ્યો છે.












Click it and Unblock the Notifications
