Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અનોખો પ્રેમ: Lucky કારનો સાથ ન છૂટે તે માટે અમરેલીના આ ખેડૂતે તેને ફૂલોથી શણગારી વાજતે-ગાજતે સમાધિ આપી

Lucky Car: પોતાની લકી વસ્તુ પોતાની સાથે રહે તે માટે લોકો અદભૂત પ્રયત્ન કરતા હોય છે. ઘણી વસ્તુ લોકોના જીવનમાં આવે ત્યારબાદ તેમનું આખુ જીવન જ બદલાઈ જતુ હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો અમરેલીથી એવો સામે આવ્યો છે કે, તમે પણ કહેશો કે આ તો અનોખો પ્રેમ કહેવાય..

વાત જાણે એ છે કે, અમરેલીના લાઠી તાલુકામાં આવેલુ પાડરશિંગા ગામમાં રહેતા એક ખેડૂત પરિવારે તેમની કારને ફૂલોથી સજાવીને સમાધિ આપી હતી. ત્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે લોકોએ કહ્યું, કે કારને શા માટે સમાધિ આપવામાં આવી? કારને તો તમે સેકેન્ડ હેંડ માર્કેટમાં વેચી શકો અને તમે તેના પૈસા મેળવી શકો.

જોકે, પાડરશિંગા ગામમાં રહેતા પરિવારે પોતાની વાહલસોયી કારને વેચી નહીં અને તેને ફૂલોથી સજાવીને વાજતે ગાજતે સમાધિ આપી. આ અંગે પરિવારે જણાવ્યુ હતુ કે, તેમની આ લકી કારે તેમના પરિવારનું આખુ જીવન પલ્ટી નાખ્યુ, પોતાની લકી કાર તેમની પાસેથી ક્યાં જાય નહીં તે માટે તેને સમાધિ આપવામાં આવી.

FARMAR CAR LOVE

આ કાર ખેડૂત સંજ્યભાઈ પોરલાએ વર્ષ 2013માં ખરીદી હતી. આ કાર ખરીદ્યા બાદ તેમના જીવનમાં પ્રગતિ થઈ, તેથી તેઓ આ કારને પોતાની લકી કાર માનતા હતા. જેના કારણે તેમને આ કાર વેચવા માંગતા ન હતા.

પોતાની કાર ન વેચવાના નિર્ણય કર્યા બાદ તેમને તેને ગ્રાન્ડ ફેરવેલ આપીને તેની સમાધિ બનાવવાનું નક્કી કર્યું હતું. નક્કી કર્યા બાદ તેઓએ આ કારને પોતાના ખેતરમાં સમાધિ આપી હતી.

સંજ્યભાઈનું માનવુ છે કે, તેમના જીવનમાં આ કાર આવ્યા બાદ તેમનો આર્થિક વિકાસ થયો અને સમાજમાં માન-સન્માન વધ્યું. ખેતી કામ કરવાની સાથે સાથે તેઓ સુરત પહોંચ્યા અને સુરતમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. જો કે, કાર તો 10 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો તેથી તેમને કારની સમાધિ બનાવવાનું નક્કી કર્યું.

સંજ્યભાઈએ કારને સમાધિ આપીને સ્મારક બનાવવાનું નક્કી કર્યું,, જેથી તેમણે તેમના ખેતરમાં 10 ફૂટ ઉંડો ખાડો ખોદાવ્યો હતો . સમાધિના પ્રસંગે 1500 જેટલા મહેમાનોને સંજ્યભાઈ આમંત્રણ આપ્યું હતું. કારની સમાધિના પ્રસંગે આસપાસના સાધુ સંતોને પણ બોલાવવામાં આવ્યા હતા.

સંજ્યભાઈના ગામમાં કારનું ઢોલ-નગારાના તાલે સામૈયુ કાઢવામાં આવ્યું હતુ. સંજ્યભાઈના કુટુંબીજનો અને ગામના લોકોએ વાજતે-ગાજતે આ સામૈયામાં જોડાયા પણ હતા.

કારને સમાધિ આપતા પહેલા તેને ફૂલોની માળાથી શણગારવામાં આવી હતી અન અંતિમ વિધિ માફક તેની ધાર્મિક વિધિ પણ કરવામાં આવી હતી. તમામ વિધિ કર્યા બાદ કારને સમાધિના ખાડામાં ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ બુલડોઝરની મદદથી તેના પર માટી નાંખવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X