Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bhadravi Poonam Mahamela: અંબાજી ખાતે પ્રવાસન સચિવના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાની બેઠક યોજાઈ

Bhadravi Poonam Mahamela: બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે છે.

આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.

Bhadravi Poonam Mahamela

મેળા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અંબાજી ખાતે તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા માટે અંબાજી ખાતે પ્રવાસન સચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે પ્રેઝન્ટેશન દ્વારા મેળામાં યાત્રાળુઓ માટે કરવામાં આવેલા વ્યવસ્થા અને તૈયારીઓની માહિતી આપી હતી.

આ બેઠકમાં પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે તંત્ર ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. તેઓએ દરેક વિભાગને કરવાની થતી વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જેમાં શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, પાર્કિગ, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, અંબાજી નગરમાં લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી, પ્રચાર-પ્રસાર સહિતની બાબતોની પ્રવાસન સચિવે વિગતવાર ચર્ચા કરીને સુંદર કમગીરી થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, ઇ ચા પોલીસ અધિક્ષક તેજસ પટેલ, મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા, નાયબ વન સંરક્ષક પી. જે. ચૌધરી સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X