ગુજરાતમાં પણ પોલીસકર્મીને ટ્રકથી કચડ્યા, 24 કલાકમાં ત્રીજી ઘટના
સમગ્ર દેશમાં પોલીસકર્મીઓને ટ્રક દ્વારા કચડી નાખવાના ત્રણ બનાવો બન્યા છે. તાજેતરનો કિસ્સો ગુજરાતના આણંદ જિલ્લાનો છે,જ્યાં ચેકિંગ દરમિયાન એક ટ્રકે પોલીસ કોન્સ્ટેબલને કચડી નાખ્યો હતો.
આણંદ : સમગ્ર દેશમાં પોલીસકર્મીઓને ટ્રક દ્વારા કચડી નાખવાના ત્રણ બનાવો બન્યા છે. તાજેતરનો કિસ્સો ગુજરાતના આણંદ જિલ્લાનો છે,જ્યાં ચેકિંગ દરમિયાન એક ટ્રકે પોલીસ કોન્સ્ટેબલને કચડી નાખ્યો હતો. રાત્રે કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

પોલીસના કબ્જામાં છે ટ્રક
હવે આણંદના ડીએસપી અજીત રાયે આ ઘટના અંગે મીડિયાને માહિતી આપી હતી. ડીએસપીએ જણાવ્યું કે, આણંદના બોરસદમાં પોલીસકોન્સ્ટેબલને કચડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોન્સ્ટેબલને કચડી નાખનારા ટ્રક રાજસ્થાનની છે.
આ સાથે જ તેનો ડ્રાઈવર ફરારથઈ ગયો છે. જોકે, તેની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
ડીએસપીએ જણાવ્યું કે, દુર્ઘટના સમયે લગભગ 1 વાગ્યાનો સમય હતો. પોલીસકર્મી કિરણ રાજ સ્થળ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા.
આ સમયે તેમણે ઝડપથી ચાલતી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રકે તેને કચડી નાખ્યો હતો. હાલ ટ્રક પોલીસના કબ્જામાં છે અનેઆરોપી ફરાપ છે.

માઈનિંગ માફિયાઓએ DSPને ટ્રક વડે કચડી નાખ્યા
અગાઉ હરિયાણા અને ઝારખંડમાં પણ આવી જ ઘટનાઓ બની ચૂકી છે. મંગળવારના રોજ હરિયાણાના નુહ જિલ્લામાં ચેકિંગ દરમિયાનમાઈનિંગ માફિયાઓએ DSPને ટ્રક વડે કચડી નાખ્યા હતા.
DSP સુરેન્દ્ર સિંહ ત્યાં રેડ પાડવા ગયા હતા. આ ઘટનાની અસર સમગ્રહરિયાણામાં જોવા મળી રહી છે. લોકો દોષિતોને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.

મહિલા પોલીસ અધિકારીને ટ્રકે કચડી
ત્રીજી ઘટના ઝારખંડની છે. જ્યાં પણ એક પોલીસ કર્મચારીનું વાહન દ્વારા કચડીને મોત થયું હતું. રાંચીના તુપુદાના વિસ્તારમાં એકપીક-અપ વાનના ચાલકે મહિલા પોલીસ અધિકારીને કચડી નાખ્યા હતા. આ ઘટના મંગળવારના રોજ બપોરે 3 કલાકની આસપાસ બનીહોવાનું કહેવાય છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
