મુખ્યમંત્રી હસ્તે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રારંભ કરાયેલ ઓનલાઈન પોર્ટલનું પણ લૉન્ચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને મેઘનિર્ઘોષના સંયુક્ત ઉપક્રમે 'વીર સાવરકર - ભારતના મહાનાયક' વિષય પર આયોજિત સેમિનારમાં પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને મેઘનિર્ઘોષના સંયુક્ત ઉપક્રમે 'વીર સાવરકર - ભારતના મહાનાયક' વિષય પર આયોજિત સેમિનારમાં જણાવ્યું હતું કે, વીર સાવરકર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અનસંગ હિરો છે. આજે આવા જ વ્યક્તિત્વનું પૂણ્ય સ્મરણ કરવાનો આ અવસર આજની પેઢીનો અને આવનારી પેઢીઓનો રાષ્ટ્રહિત પ્રબળ કરશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લેખક રસિકબા કેસરિયા દ્વારા લેખિત પુસ્તક 'મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર'નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રારંભ કરાયેલ ઓનલાઈન પોર્ટલનું પણ લૉન્ચ પણ કરાયું હતું.












Click it and Unblock the Notifications
